મુખ્યમંત્રી કહ્યું કે કચ્છની ધરતી પર મા નર્મદાના નીર પહોંચાડાશે અને સૌની યોજના હેઠળ કચ્છને લીલુછમ બનાવાશે.
કચ્છમાં નર્મદા પાણી કરોડની યોજનાને મંજૂરી
સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીનું કરાયું અભિવાદન
કચ્છના માલધારી અને ખેડૂતોએ કર્યું અભિવાદન
સૌની યોજાના હેઠળ હવે કચ્છને નર્મદાનું પાણી મળતું થશે જેને લઈ આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કચ્છના માલદારી અને ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી કહ્યું કે કચ્છની ધરતી પર મા નર્મદાની નીર પહોંચાડાશે અને સૌની યોજના હેઠળ કચ્છને લીલુછમ બનાવાશે.
કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કચ્છમાં હવે પાણીની સમસ્યા ઉભી થશે નહીં કચ્છમાં પાણી મળી રહે તે માટે સરકાર કટીબદ્ધ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે કચ્છને લીલુછમ બનાવવાનો સંકલ્પ કર્યો છે કચ્છમાં નર્મદા પાણી માટે 3500 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ પાણીની સુવિધા આપી શકી નહીં
મહત્વનું છે કે હવે 2022માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે 2022ની શરૂઆતમાં કચ્છને દરરોજ 10 કરોડ લીટર પાણી આપવાનું લક્ષ્ય છે. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 50 વર્ષ સુધી કોંગ્રેસે ગુજરાત પર રાજ કર્યું છે પરતું સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ પાણીની સુવિધા આપી શકી નહીં.
મુખ્યમંત્રીએ કર્યો કોંગ્રેસ પર આકરા પ્રહાર
મુખ્યમંત્રીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે બહેનોને 2 બેડાં પાણી માટે ભટકવું પડતું હતું PM મોદીએ નર્મદા માટે ઉપવાસ કર્યા હતા અમે નર્મદા યોજના પુરી કરવા માટે નિમિત્ત બન્યા છીએ કોંગ્રેસ જવાબ આપે વર્ષો સુધી નર્મદાનું કામ પૂર્ણ કેમ કર્યું નહીં.તેને લઈને કોંગ્રેસને સવાલ કર્યા હતા.