મણિશંકર ઐયરની કોંગ્રેસમાં ફરી વાપસી થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના સસ્પેન્શનને રદ્દ કર્યુ છે. ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મણિશંકર ઐયરે પીએમ મોદી વિરૂદ્ધ નિમ્ન કક્ષાના વ્યક્તિ એવી વિવાદિત ટીપ્પણી કરવાના કારણે અય્યરને પાર્ટીમાંથી નિકાળી દેવામાં આવ્યા હતા.
કોંગ્રેસના સંગઠન મહાસચિવ અશોક ગહેલોત તરફથી આવેલા નિવેદન મુજબ પાર્ટીની કેન્દ્રીય અનુશાસન સમિતિની અનુશંસા પર રાહુલ ગાંધીએ પાર્ટીની પ્રાથમિક સભ્યતાથી અય્યરની હકાલપટ્ટી તત્કાળ પ્રભાવથી રદ કરવાની મંજૂરી પ્રદાન કરી હતી.
વાસ્તવમાં અય્યરે ગત વર્ષે ડિસેમ્બરમાં ગુજરાતમાં ચૂંટણીના થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી માટે વિવાદિત ટિપ્પણી કરી હતી. ઐયરની આ ટીપ્પણી બાદ રાજકીય ગરમાવો આવ્યો હતો અને ચૂંટણી સભાઓમાં પણ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. આ નિવેદન બાદ મુદ્દો ગરમતા મણિશંકર ઐયરની હાકલપટ્ટીની માગ ઉભી થતા તેઓની કોંગ્રેસમાંથી હાકલપટ્ટી કરવામાં આવી હતી.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મણિશંકરની ટીપ્પણી બાદ કોંગ્રેસને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ઉલ્લેખનીય છે કે વિવાદિત નિવેદન બાદ ઐયરે સફાઈ પણ આપી હતી અને ટ્રાન્સલેશનની ભૂલ હોવાનું જણાવ્યું હતું.
આ પહેલા વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલા પણ મણિશંકર અય્યરે મોદી વિરુદ્ધ વિવાદીત નિવેદન આપતા એમને ચા વાળા કહ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડ્યો હતો.