ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પહેલી નવેમ્બર પછી કોઈપણ સમયે ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે લાભ પાંચમના શુભ દિવસે વચનોની લ્હાણી કરવામાં આવી છે.
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ કમરકસીને મેદાનમાં ઉતરી છે. સામાન્ય રીતે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મહત્વનો જંગ જોવા મળતો હતો, પરંતુ આ વખતે AAP પુરતી તૈયારી સાથે મેદાનમાં છે. AAPએ ઉમેદવારોની સાત યાદી પણ જાહેર કરી દીધી છે. સાથે મતદારોને રીઝવવા કેજરીવાલ ગેરંટી ઉપર ગેરંટી આપી રહ્યા છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના રસ્તે કોંગ્રેસ પણ જોવા મળી રહી છે. લાભ પાંચમના શુભ દિવસે કોંગ્રસે વાયદાઓની લ્હાણી કરી છે.
ભાજપે નવી સરકારી હોસ્પિટલ તો ના બનાવી પણ કોંગ્રેસે બનાવેલી સરકારી હોસ્પિટલોની પણ ખરાબ હાલત કરી લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં જવા મજબુર કરી દેવાદાર બનાવ્યા, પરંતુ કોંગ્રેસની સરકાર બનતા જ અમે ગુજરાતના તમામ નાગરિકોને 10 લાખ સુધીની મફત સારવાર આપીશું pic.twitter.com/PpO2ekJxGD
લાભપાંચમના દિવસે કોંગ્રસે વાયદાઓની લ્હાણી કરી
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે સરકાર બનશે તો કોંગ્રેસ શું કરશે તેના વચનો આપ્યા છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના તમામ નાગરિકોને રૂ. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ કોંગ્રેસ આપશે. ખેડૂતોનું દેવું માફ કરાશે અને દિવસે વીજળી કોંગ્રેસ મફત આપશે. ઘરનું 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો સિલિન્ડર રૂ. 500માં કોંગ્રેસ આપશે. 10 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે
ભાજપના રાજમાં વીજ કંપનીઓ દર ત્રણ મહિને યુનિટ દરમાં ભાવ વધારો કરી લૂંટ ચલાવી રહી છે, પરંતુ કોંગ્રેસની સરકાર બનતા જ અમે ગુજરાતની પ્રજાને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપીશું અને વીજ કંપનીઓની લૂંટને અટકાવીશું pic.twitter.com/4KzWTKbCez
ગુજરાતનો વિદ્યાર્થી દેશ અને દુનિયામાં ક્યાંય પાછો ના પડે માટે જ કોંગ્રેસની સરકારી બનતા જ અમે સમગ્ર ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની 3000 નવી સરકારી શાળાઓ બનાવીશું અને ગુજરાતના વિદ્યાર્થીને દુનિયાની હરોળમાં ઉભા રાખીશું pic.twitter.com/DrymxH6Cd0
કન્યા કેળવણીની વાતો કરી અને બીજી બાજુ શિક્ષણ ખર્ચમાં વધારો કરી દીકરીઓને શિક્ષણથી દૂર કરી પણ કોંગ્રેસની સરકાર બનતા જ અમે દીકરીઓને કેજી થી લઈને માસ્ટર ડીગ્રી સુધી મફત શિક્ષણ આપીશું અને દીકરીઓને પગભેર બનાવીશું pic.twitter.com/zioUcY5RyM
27 વર્ષમાં ભાજપની સરકારમાં થયેલા કૌભાંડમાં તપાસ થશે: પટેલ
તેઓએ મોટું નિવેદન આપતા કહ્યું કે, સરકાર બનતા જ 27 વર્ષમાં ભાજપની સરકારમાં થયેલા કૌભાંડમાં તપાસ થશે. કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને કોંગ્રેસ સરકાર જેલભેગા કરશે. કોંગ્રેસ સરકાર રાજ્યમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગ્રામીણની જેમ શહેરોમાં પણ મનરેગા યોજના શરૂ કરવામાં આવશે.
ભાજપે રોજગારીના નામે બેરોજગાર યુવાનોને માત્રને માત્ર ઉલ્લુ બનાવ્યા પરંતુ કોંગ્રેસની સરકાર બનતા જ અમે પારદર્શક પૂર્વક 10 લાખ સરકારી પદોમાં ભરતી કરીશું અને ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગારી આપીશું. pic.twitter.com/cgRuViKczG
ચૂંટણી ટાણે વચનોની લ્હાણી
હત્વનું છે કે, આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતને ફ્રીમાં વીજળી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ પણ જેમ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી પહેલા વાયદા કર્યા હતા તે પેટર્ન ગુજરાતમાં અનુસરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે જેને લઇને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયુ છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે વચનોની લ્હાણી તો કરી દીધી પરંતુ આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા કોની પર પસંદગીનો કળશ ઢોળશે.
મોંઘા પશુદાણના કારણે પશુપાલકોની આવક ઘટી છે માટે જ કોંગ્રેસની સરકાર બનતા જ અમે દૂધ પર પ્રતિ લીટર 5રૂપિયાની સબસીડી આપીશું અને પશુપાલકોની આવકમાં વધારો કરીશું. pic.twitter.com/lTVytYOAdv