કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને ગુરુવારે 4 વર્ષ પૂરા થઇ જશે. એના માટે ભાજપ જ્યાં વિપક્ષના દરેક દાવાને ખોટા સાબિત કરવાના પ્રયત્નો કરી રહી છે. તો બીજી બાજુ વિપક્ષ પણ ભાજપા સરકારની નિષ્ફળતાને જનતાની સામે લાવવા પુરજોરથી પ્રયત્ન કરી રહી છે. કારણ તે એ આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં ફરીથી સત્તાની કમાન સંભાળી શકે.
બુધવારે કોંગ્રેસે મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાની તક પર એક પોસ્ટર જારી કર્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોત અને પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયાને સંબોધિત કરી. એમને કહ્યું 'આજે લોકોમાં ડર અને અવિશ્વાસનો માહોલ ફેલાયેલો છે. એમનો વિશ્વાસ તૂટી ચૂક્યો છે. તેલના ભાવ આસામાને છે. કેન્દ્ર સરકારને એનાથી કોઇ ફરક પડતો નથી.
Delhi: Congress releases poster on completion of 4 yrs of PM Modi led Central govt. Ashok Gehlot says 'There is sense of fear & mistrust among people today. Their trust has been broken. Fuel prices are sky-rocketing. This is a loot. They (Centre) don't even care about it.' pic.twitter.com/s1aEKTEEaj
કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે ચાર વર્ષ દરમિયાન જનતા સાથે માત્ર વિશ્વાસઘાત થયો છે. જે રૂપમાં આ ભાજપ સરકારે પૈસા ઊડાવ્યા છે અને સરકારી પૈસાથી દર વર્ષે જશ્ન મનાવી રહ્યા છે. કોંગ્રેસે આવી પરંપરા ક્યારે નાંખી નહતી. એ ભૂલી જાય છે જ્યારે આપણે મુખ્યમંત્રી બનીએ છીએ પ્રધાનમંત્રી બનીએ છી તો આપણે જનતાના ટ્રસ્ટી હોઇએ છીએ. એ જનતાના પૈસા ઊડાવવાનો આપણને કોઇ હક નથી.
જણાવી દઇએ કે ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થવા પર મોદી સરકારે વિપક્ષના દરેક આરોપને ખોટા સાબિત કરવા માટે રણનીતિ બનાવી છે. પાર્ટીએ પોતાના રિપોર્ટ કાર્ડ માટે દરેક મંત્રાલયો અને વિભાગથી પ્રગતિ રિપોર્ટ માંગ્યો છે કારણ કે એ જનતાને પોતાની સફળતા અને વાયદા પૂરા કરવા માટે જણાવી શકે.