કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીની ઉપસ્થતિમાં ઘોષણાપત્ર રજૂ કરશે. જેને લઇને 24 અકબર રોડ સ્થિત પાર્ટીના મુખ્ય કાર્યાલય પર એક મોટુ આયોજન કરવામાં આવ્યું છે.
આજે કોંગ્રેસ પાર્ટી પોતાનો લોકસભા 2019 માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સવારે 11.45 વાગ્યા દિલ્હીના AICC હેડક્વાર્ટરથી ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ત્યારે મહત્વનું છે કે, અગાઉ રાહુલ ગાંધીએ ગરીબી હટાવો સૂત્ર હેઠળ દેશના ગરીબોને દર મહિને રૂપિયા 6 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી અને વર્ષે વધુમાં વધુ રૂપિયા 72 હજારની સહાયની જાહેરાત કરી હતી.
આમ, મિનિમમ ઇનકમ ગેરેન્ટી યોજનાના માસ્ટર સ્ટ્રોક બાદ હવે કોંગ્રેસના જાહેર થનારા ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે પણ જાહેરાત થવાની શક્યતા સેવાઈ રહી છે. દેવામાફી તેમજ યુવાનોને રોજગારી આપવાનો પણ ઢંઢેરામાં સમાવેશ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીની ઉપસ્થતિમાં ઘોષણાપત્ર રજૂ કરશે. જેને લઇને 24 અકબર રોડ સ્થિત પાર્ટીના મુખ્ય કાર્યાલય પર એક મોટુ આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સમયે યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્ર સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના સીએમ કમલનાથ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ ઘોષણા પત્રની થીમ 'અન્યાય સે ન્યાય' તરફની રાખવામાં આવી છે.