ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ ભણકારા વાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં ભરતસિંહના રાજીનામાંનો મેસેજ વાયરલ થયો હતો.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું તેવું જણાવાય રહ્યું હતું. પરંતુ ભરતસિંહ અમદાવાદ પહોંચતાની સાથે જ આ વાતને લઇ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી.
તેમણે કહ્યું કે મારા રાજીનામાની વાત ખોટી છે. તેમણે વાતને નકારી છે. તેમણે કહ્યું કે હું વેકેશન પર જઉં છું.
ભરતસિંહ કહ્યું કે રાજીનામાની વાત મેં વિધાનસભા ચૂંટણીના પરિણામો વખતે કરી હતી. કોંગ્રેસ પાર્ટીનો એક સૈનિક છુ કોંગ્રેસે મને ઘણુ બધુ આપ્યુ છે. અમારા રાજ્યસભાના ઉમેદવારોને રાહુલ ગાંધીને મળાવવા ગયો હતો.