કોંગ્રેસ પાર્ટીમાં અવારનવાર નેતૃત્વને લઈને વિવાદ થતાં રહે છે ત્યારે આજે પાર્ટીએ કાઢી મૂકેલા નેતા સંજય ઝાએ ટ્વિટ કરીને કહ્યું કે પાર્ટીના 100 નેતાઓએ નેતૃત્વ બદલવા માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ પણ સ્પષ્ટતા આપી છે.
સંજય ઝાએ કોંગ્રેસ પાર્ટીમાં જ નેતાઓએ અવાજ ઉઠાવ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો
CWCમાં પારદર્શક ચૂંટણી માટે સોનિયા ગાંધી સામે કરી માંગ : સંજય ઝા
ભાજપ-ફેસબુક મુદ્દાને ભટકવવા માટે ખોટી ચિઠ્ઠીઓ ફરી રહી છે : કોંગ્રેસ
'કેટલાક સાંસદો સહીત 100 કોંગ્રેસ નેતાઓએ અધ્યક્ષ નેતા સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં નેતૃત્વ બદલવાની તથા પારદર્શક ચૂંટણીની માંગ કરી છે.' કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ થઇ ગયેલા નેતા સંજય ઝાએ એક ટ્વિટ કરીને આ જાણકારી આપ્યા બાદ દેશભરમાં કોંગ્રેસમાં આંતરિક ડખો અને ગાંધી પરિવાર સિવાય નેતૃવ બદલાવની ચર્ચાએ જોર પકડ્યું હતું.
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ સંજય ઝાને ગયા મહીને જ પ્રવક્તા પદથી પણ હટાવી દીધા છે ત્યારે સોમવારે સવારે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે આશરે સો નેતાઓ કોંગ્રેસ પાર્ટીની પરિસ્થિતિથી ખૂબ દુઃખી છે અને નેતૃત્વ પરિવર્તન કરવા માટે CWCમાં પારદર્શક ચૂંટણી કરવા માટે માંગણી કરી રહ્યા છે.
TO WHOM IT MAY CONCERN
“Special Misinformation Group on Media-TV Debate Guidance” in its what’sapp of today directed to run the story of a non existant letter of Congress leaders to divert attention from Facebook-BJP links.
Of course, BJP stooges have started acting upon it.
જોકે કોંગ્રેસ પાર્ટીએ સંજય ઝા દ્વારા કરવામાં આવેલ આ દાવાનું ખંડન કર્યું છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેને ફેસબુક સાથે ભાજપના લિંકના મુદ્દાને ભટકવવાનો હથકંડો બતાવ્યો. તેમણે કહ્યું કે આજે વોટ્સએપ પર મીડિયા-ટીવી ડિબેટમાં ખોટી માહિતીઓ ફેલાવનારા વિશેષ સમૂહના માર્ગદર્શન હેઠળ ફેસબુક-ભાજપ સંબંધી મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે વોટ્સએપ કોંગ્રેસ નેતાઓની એવી ચિઠ્ઠી ફેરવવામાં આવી રહી છે જેનો કોઈ અસ્તિત્વ જ નથી. ભાજપની કઠપૂતળીઓએ તેના પર કામ ચાલુ કરી દીધું છે.
નોંધનીય છે કે કોંગ્રેસે વોલ સ્ટ્રીટ જનરલની એક રિપોર્ટના આધાર પર ભાજપ અને ફેસબુક પર આરોપ લાગાવ્યો છે કે ફેસબુક જાણીજોઇને ભાજપ નેતાઓના ઘૃણાસ્પદ ભાષણ અને આપત્તિજનક પોસ્ટને હટાવતું નથી.