કોંગ્રેસને 2019-20માં 139 કરોડથી વધારે ફંડ મળ્યું. પાર્ટીના સભ્યોમાં સૌથી વધારે ફંડ કપિલ સિબ્બલે આપ્યુ. તેમણે પાર્ટી કોર્ષમાં 2 કરોડ રુપિયાનું દાન આપ્યું. વર્ષ 2019-20માં કોંગ્રેસને મળેલી દાનની રાશિના રિપોર્ટમાં નિર્વાચિન આયોગે સાર્વજનિક કર્યુ છે. વર્ષ 2019-20 ચૂંટણીનું વર્ષ હતુ. કોંગ્રેસને વર્ષ 2018-19માં 146 કરોડ રુપિયા મળ્યા હતા.
1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020ની વચ્ચે 352 દાન 20 હજાર રુપિયાથી વધારે
ITCએ લગભગ 13 કરોડનું દાન આપ્યું
કપિલ સિબ્બલે 3 કરોડનું દાન આપ્યું
મનમોહન સિંહે 1, 08, 000 રુપિયા આપ્યા હતા
કાયદા અંતર્ગત રાજનીતિક પાર્ટીઓ માટે જરૂરી છે કે તે 20 હજાર રુપિયાથી વધારે દાન આપનાર વ્યક્તિઓ, કંપનીઓ, ઈલેક્ટોરલ ટ્રસ્ટ અને સંગઠનો વિશે જાણકારી આપે. એક એપ્રિલ 2019થી 31 માર્ચ 2020ની વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 1, 08, 000 રુપિયા આપ્યા હતા. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 54000 અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ 50 હજારનું દાન આપ્યું. પોતાના યોગદાન રાશિ રિપોર્ટમાં બહુજન સમાજ પાર્ટીએ કહ્યું તે તેમને 20 હજારથી વધારે દાન નથી મળ્યું.
1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020ની વચ્ચે 352 દાન 20 હજાર રુપિયાથી વધારે
1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020ની વચ્ચે 352 દાન (20 હજાર રુપિયાથી વધારે) ની યાદીમાં, ઈલેક્ટોરલ ટ્રસ્ટ કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા દાનદાતા છે. પ્રૂડેંટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ (ભારતીય એરટેલ અને ડીએલએફ)એ 30 કરોડ રુપિયાનું દાન આપ્યુ. જ્યારે જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટે 25 કરોડ રુપિયાનું દાન આપ્યું. ચૂંટણી ટ્રસ્ટોના કોર્પોરેટ ફોરમમાં દાન મળ્યું છે જે રાજનીતિક દળોની વચ્ચે વિતરિત કરવામાં આવે છે.
ITCએ લગભગ 13 કરોડનું દાન આપ્યું
કોર્પોરેટ્સમાંથી પાર્ટીને આઈટીસી સમૂહ અને તેની મદદગાર કંપનીઓમાંથી 20 કરોડ રુપિયા મળે છે. ITCએ લગભગ 13 કરોડનું દાન આપ્યું છે. તેમની સહાયક કંપની ITCઈન્ફોટેક એ 4 કરોડ રુપિયા અને ITCની એક સહાયક કંપની રસેલ ક્રેડિટ લિમિટેડને કોંગ્રેસને 1.4 કરોડ રુપિયાનું દાન કર્યું.
કપિલ સિબ્બલે 3 કરોડનું દાન આપ્યું
2019-20માં કોંગ્રેસને દાનમાં આવનારા કોર્પોરેટ્સમાં એસઈજી લિમિટેડ (3.5 કરોડ), ગ્વાલિયર અલ્કોબ્રૂવ(5 કરોડ) અને બીજી શિર્કે કન્સ્ટ્રક્શન(4 કરોડ) સામેલ છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ તે નેતાઓમાંથી એક છે જેમણે ગત વર્ષ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીનું નેતૃત્વ સુધારવાની માંગ કરી હતી. તેમણે 3 કરોડનું દાન આપ્યું. ત્યારે રાજ બબ્બ, કુમારી શૈલજા અન રિપુન બોરા સહિત અન્ય નેતાઓએ પાર્ટીને લગભગ 1 લાખનું દાન આપ્યું.
બહુજન સમાજ પાર્ટીએ કહ્યું તે તેમને 20 હજારથી વધારે દાન નથી મળ્યું
તમામ રાજનીતિક દળોની વ્યક્તિઓ, કંપનીઓ અને ટ્રસ્ટો દ્વારા તેમના માટે કરવામાં આવેલા 20 હજાર રુપિયાથી વધારે દાનની જાહેરાત કરવાની ફરજિયાત છે. અત્યાર સુધી ચૂંટણી આયોગને કોંગ્રેસ, એનસીરી અને બીએસપીએ દાનનું વિવરણ શેર કર્યુ છે. વર્ષ 2019-20 માટે ભાજપ, ટીએમસી, સીપીઆઈ અને સીપીએમ દ્વારા પ્રસ્તુત રિપોર્ટ હજું શેર કરવામાં આવ્યો નથી. એનસીપીને 59.9 કરોડ મળ્યા અને બીએસપીએ કહ્યું કે તેમને આ વર્ષે 2019-20માં 20 હજાર રુપિયાથી વધારે કોઈ દાન નથી મળ્યું.