કોરોના વાયરસને લઇને પીએમ મોદીએ આખા દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે લૉકડાઉન દરમિયાન ઘરોથી બહાર ઘરોથી બહાર નીકળવા પર પૂર્ણ પ્રતિબંધ લાગેલો રહેશે. પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે જનતાએ કરફ્યૂને સફળ બનાવ્યું છે.
કોરોના વાયરસને લઇને પીએમ મોદીએ આખા દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી
કોંગ્રેસે પૂછ્યું, સરકારે કોરોના વાયરસની મહામારીને રોકવા માટે શું કર્યું ?
એવું નથી કે જે દેશ પ્રભાવિત છે તે પ્રયાસ કરી રહ્યા નથી, અને તેમની પાસે કોઇ સંસાધનોની કમી છે. આ દેશોને બે મહીનાના અધ્યયનથી એટલુ જાણવા મળ્યું છે કે એક માત્ર રસ્તો છે સોશિયલ ડિસ્ટેન્સિંગ એટલે કે પોતાના ઘરોમાં બંધ રહેવું.
પીએમ મોદી દ્વારા લૉકડાઉનની જાહેરાત બાદ કોંગ્રેસનું રિએક્શન આવ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, 'આદરણીય મોદી જી, દેશ તો લૉકડાઉનનો તમામ આગ્રહ માનશે. પરંતુ આપે કોરોના વાયરસની મહામારીને રોકવા માટે શું કર્યું? સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા કેવી રીતે થશે? કોરોના વાયરસથી પેદા થયેલું રોજી-રોટીનું મહા સંકટનો શું ઉકેલ લાવ્યા? ગરીબ, મજૂર, ખેડૂત, દુકાનદાર, છુટક મજૂરી કરનાર 21 દિવસ કેવી રીતે જશે?
સુરજેવાલાએ આગળ લખ્યું, કોરોના વાયરસથી લડવા માટે ડૉક્ટર-નર્સ-સ્વાસ્થ્ય કર્મચારીઓને લેસ કરવી જરૂરી છે પરંતુ તેમના માટે એન-95 માસ્ક, પ્લાઇ માસ્ક, હેજ્મેન્ટ સૂટ કેમ ઉપલબ્ધ નથી? દેશને માર્ચમાં જ 7.25 લાખ બોડી સૂટ, 60 લાખ એન-95 માસ્ક, 1 કરોડ 3 પ્લાઇ માસ્કની જરૂર છે. આ ક્યારે મળશે? દુર્ભાગ્યપૂર્ણ પરંતુ સત્ય. કોરોના વાયરસના ફેલાવાના 84 દિવસ બાદ આપની સરકારે આજે વેન્ટિલેટર, શ્વાસ લેવાના ઉપકરણો અને હેન્ડ સેનિટાઇઝરની નિકાસ પર રોક લગાવી છે. કોરોના વાયરસથી લડવા માટે આ આપની તૈયારી છે?