મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે(મંગળવાર) ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે 'મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન'ની જાહેરાત કરી હતી. તેવામાં હવે હોર્ટીકલ્ચર નીતિ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે.
રાજ્ય સરકારે કરી 'મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન'ની જાહેરાત
હોર્ટીકલ્ચર નીતિ પર કોંગ્રેસની પ્રતિક્રિયા
ગુજરાતમાં સૌથી વધુ ખારી જમીનમાં વધારો થયોઃ કોંગ્રેસ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના આયોજન સાથે 'મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન'ની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરાત પર કોંગ્રેસે કહ્યું કે, ભાજપે વિલંબ કરીને નુકસાન વધાર્યું છે.
હોર્ટીકલ્ચર નીતિની મુખ્યમંત્રીની જાહેરાત પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું કે, ગુજરાતમાં 14 લાખ 30 હજાર હેક્ટર જમીન ક્ષારયુક્ત છે. ગુજરાતમાં ક્ષારયુક્ત જમીનમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકારની આ નીતિ ખૂબ વિલંબ બાદ જાહેર કરાઈ છે.
વધુમાં કોંગ્રેસે કહ્યું કે, ભાજપ સરકારે ખારી જમીન અટકાવવામાં વિલંબ કરીને નુકસાન વધાર્યું છે. રાજ્ય સરકારે રાજકીય દ્રષ્ટિકોણથી ડાર્ક ઝોન મુક્યા અને હટાવ્યા છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ખારી જમીનમાં વધારો થયો છે. ખારી જમીનનો વિસ્તાર વધવાથી ખેતીને દર વર્ષે 10 હજાર કરોડનું નુકસાન થઇ રહ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી જાહેરાત?
બાગાયતી-ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપવાનો હેતુ
ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં સરકારનું વધુ એક પગલુ
30 વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે
ભાડાપટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ-ભાડું નહીં લેવાય
રાજ્યમાં અંદાજે 50 હજાર એકર બિન ખેડવાણવાળી જમીન ખેડવાણયુકત બનશે
બાગાયતી-ઔષધિય પાક ઉત્પાદનમાં વધારો થશે
પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી I ખેડૂત પોર્ટલ પર મુકાશે
લીઝધારકોને આધુનિક ટેકનોલોજીયુક્ત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ સહાય મળશે
કૃષિ-બાગાયતી પાકોના ઉત્પાદન-આવક વધારી રોજગારીની નવી તકો ઉભી થશે
એકસપોર્ટ ઓરિએન્ટેડ અને પ્રોસેસિંગ કલસ્ટર ઉભા કરી કાપણી પછીની વ્યવસ્થા-વેલ્યુચેઇન-પ્રોસેસિંગ ઊદ્યોગો વિકસાવાશે
લીઝ માટેની અરજીઓની સ્કૂટીની-ચકાસણી રાજ્યકક્ષાની ટેકનિકલ કમિટી કરશે
પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં શરૂ કરાશે
જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ અપાશે
6 વર્ષથી ૩૦ વર્ષ સુધી પ્રતિએકર પ્રતિવર્ષ 1૦૦થી 5૦૦નું ભાડુ લેવાશે
કૃષિવિષયક વીજજોડાણમાં પ્રાયોરિટી મળશે
લીઝ ધારક પોતાના સ્વવપરાશ માટે જ સોલાર પેનલ-વીન્ડ મિલ લગાવી ઊર્જા ઉત્પાદન કરી શકશે પણ વેચી શકશે નહીં
લીઝ મુદત પૂરી થતા પહેલા જમીન પરત કરવાના કિસ્સામાં સરકાર દ્વારા કોઇ જ વળતર મળવાપાત્ર નહીં