કોંગ્રેસે અલગ-અલગ દિવસે મત ગણતરી મામલે અરજી કરી છે. હાઈકોર્ટની સમક્ષ આ કેસ આવ્યા બાદ ચુકાદો અનામત રખાયો છે, ચૂંટણીપંચે રજૂ કર્યો જવાબ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો
કોંગ્રેસ અલગ-અલગ દિવસે મત ગણતરી સામે કરી અરજી
હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જુદા-જુદા દિવસે મતદાન યોજવા મામલે કોંગ્રેસ હાઈકોર્ટના આશરે પહોંચી છે. જો કે, ચૂંટણીપંચની જાહેરાતના દિવસે જ આ મામલે કોર્ટમાં જવાની વાત કરી હતી. હવે કોંગ્રેસે અલગ-અલગ દિવસે મત ગણતરી સામે અરજી કરી છે. હાઈકોર્ટની સમક્ષ આ કેસ આવ્યા બાદ ચુકાદો આજે અનામત રખાયો છે.
હાઈકોર્ટમાં ચૂંટણી પંચે પોતાનો આ જવાબ કર્યો રજૂ
જો કે, હાઈકોર્ટમાં ચૂંટણીપંચે રજૂઆત કરી છે કે, વર્ષ 2005થી મહાનગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓનું કાઉન્ટિંગ અલગ જ રાખવામાં આવે છે. એક જ દિવસે મત ગણતરી રાખવાથી વધુ સ્ટાફની જરૂર પડતી હોય છે. સાથે ચૂંટણીપંચે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, અધિકારીઓ દરેક સ્થળે પહોંચી શકતા નથી. કોવિડના કારણે એક રૂમમાં 14ના બદલે 7 ટેબલ રાખી શકાય છે. કાઉન્ટિંગ અલગથી રાખવાથી કોઇ નુકસાન નથી. તો પંચે કહ્યું કે, અરજદારે આ મામલે, કોઈ પુરાવા આપ્યા નથી. રાજકીય હેતુથી અરજી કરવામાં આવી છે.