રાજકોટઃ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર અભિયાનનો આજથી પ્રારંભ કરશે. આ માટે કોંગ્રેસ ખાસ રણનીતિ પણ ઘડી છે. જે પ્રમાણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગામડા દીઠ જવાબદારી સોંપવામાં આવી છે.
ખાસ કરીને આ ચૂંટણી પ્રચારમાં મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ સહિતના નેતાઓ જોડાશે. જસદણના તમામ વિસ્તારોમાં ફરી લોકોની સ્થિતિ જાણવાની કોશીશ કરશે. સાથે જ લોકોની સમસ્યા અને તેમને પડી રહેલી મુશ્કેલીનો પણ તાગ મેળવશે. ચૂંટણી પ્રચારમાં કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અર્જૂન મોઢવાડિયા સિદ્ધાર્થ પટેલ અને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સભાઓ ગજવશે.
આ અંગે ગુજરાત કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે જસદણ વિધાનસભાની પેટા ચુટંણી માટે કોગ્રેસના વરિષ્ઠ નેતાઓને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક અને ગામડા દીઠ જવાબદારી સોપવામાં આવી છે. આ પ્રચારમાં કોગ્રેસના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ સહિતના નેતાઓ જોડાશે.
વધુમાં તેમણે કહ્યું કે જસદણ વિસ્તારના લોકોની સ્થિતિની વાત કરવામાં આવેતો ખેડૂતોની હાલત કફોડી છે. ખેતી માટે વિજળી અને પાણી મળતું નથી. જે ખેત ઉત્પાદન થાય છે તેના ભાવ મળતા નથી. અહીં યુવાનો બેરોજગાર છે. હિરા ઉદ્યોગમાં મંદી આવતા બે રોજગારી વધી છે.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના જિલ્લાનો વિસ્તાર હોવા છતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે જે મુદ્દાને લઇને કોગ્રેસ પ્રચાર કરશે. ગુજરાત કોગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડીયા સિધધાર્થ પટેલ અને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સભાઓ ગજવશે તો કોંગ્રેસે ચુટંણી પ્રચાર માટે અહેમદ પટેલને પણ વિનંતી કરી છે.