મોદી સરકારે કરેલી રાફેલ ડીલને લઈને ફ્રેન્ચ મીડિયા તરફથી કરવામાં આવેલા ભ્રષ્ટાચારના દાવા પછી મધ્ય પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે આજે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
રાફેલ ડીલને લઈને દિગ્વિજય સિંહનો સવાલ
પીએમ મોદી પર જ તાક્યું સીધું નિશાન
આ અગાઉ રાહુલ ગાંધી દ્વારા રાફેલ ડીલને લઈને સરકાર પર નિશાન સધાયું હતું
મહત્વનું છે કે મોદી સરકારની બહુ ગાજેલી રાફેલ ડીલને લઈને તાજેતરમાં ફ્રાન્સની એક મીડિયા દ્વારા તેની રિપોર્ટમાં એક દાવો કરવામાં આવ્યો હતો કે વિમાન બનાવનારી કંપની દસો એવિએશને ભારતમાં એક વચેટિયાને 1.1 મિલિયન યુરો આપ્યા હતા, જો કે આ ઘટનાક્રમને લઈને વિપક્ષી પાર્ટી કોંગ્રેસને ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાની તક સાંપડી હતી અને દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આ આખા બનાવમાં પીએમ મોદી પોતે સીધી રીતે સામેલ છે.
મોદી સરકાર પર પ્રહાર
મહત્વનું છે કે આ અગાઉ પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને ચોકીદાર ચોર હૈનું સૂત્ર વહેતુ કરવામાં આવ્યું હતું, જો કે એના પછી સુપ્રીમ કોર્ટે આ મામલાની અરજીમાં સુનાવણી કરતા કહ્યું હતું કે આ બનાવમાં તપાસની કોઈ જરૂર નથી અને અરજીને ફગાવી હતી, જો કે ફ્રેન્ચ રિપોર્ટમાં ફરીથી આ બાબત સામે આવતા કોંગ્રેસ નેતાઓ દિગ્વિજય સિંહે આજે કહ્યું હતું કે જે ખુલાસો થયો છે, તેનાથી સ્પષ્ટ છે કે રાફેલ ડીલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આ મામલે સીધો પીએમ મોદી પર જ આક્ષેપ કરતા કહ્યું હતું કે આ મામલે તેઓ સીધી રીતે આમાં સામેલ છે, કેમ કે આ માટે આખી પ્રક્રિયાને નજરઅંદાજ કરવામાં આવી હતી અને રક્ષામંત્રીને પણ આની ખબર નહોતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદી હવે ફ્રાન્સ જવાના છે , માટે ક્યાંક એવું તો નથીને આ મામલે કોઈ ઢાંકપીછોડો કરવા માટે તેઓ ત્યાં જતા હોઈ.
કોંગ્રેસ પ્રવકતાએ પણ લગાવ્યા આરોપો
મહત્વનું છે કે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે આ આખી લેણદેણને ગિફ્ટ્સ ટુ ક્લાઇન્ટ્સ તરીકે લેખવામાં આવી હતી અને જો આ મોડેલ બનાવવાના પૈસા હતા, તો તેને ગિફ્ટ્સ ટુ ક્લાઇન્ટ્સ શુ કામ કહેવામાં આવી ?શું આ કોઈ સંતાડાયેલા ટ્રાન્ઝેક્શનનો ભાગ હતો, ખરેખર આ પૈસા જે કંપનીને આપવામાં આવ્યા તે મોડેલતો બનાવતી જ નથી, વધુમાં તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે 60 હજાર કરોડની આ ડીલમાં સત્ય સામે આવી ગયું છે, અમે નહીં પણ ફ્રાંસની એક ન્યૂઝ એજન્સીએ એ આવો રિપોર્ટ આપ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે બે સરકારો વચ્ચે રક્ષા સંધિ થાય છે, તો તેના માટે કોઈ વચેટિયાને કેમ સામેલ કરવામાંઆવ્યો? શું પીએમ મોદી આ બાબતે જવાબ આપશે. .