ગાંધી પરિવારના નજીકના ડૉ. સંજય સિંહે કોંગ્રેસ અને રાજ્યસભા સદસ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. સંજય સિંહ બુધવારે બીજેપીમાં સામેલ થશે. સંજય સિંહ અમેઠીના રાજ પરિવારથી આવે છે. આ વખતે લોકસભામા ચૂંટણીમાં સંજય સિંહ સુલ્તાનપુર સંસદીય બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ પોતાની જમાનત બચાવી શક્યા નહોતા.
ડૉ. સંજય સિંહ આસામથી રાજ્યસભા સભ્ય છે. અને તેમના કાર્યકાળને એક વર્ષ બાકી હતું. છતાં એમણે રાજયસભા અને કોંગ્રેસ છોડવાનું એલાન કર્યું છે. જોકે, સંજય સિંહે પોતાની રાજનૈતિક ઇનિંગ કોંગ્રેસથી શરૂ કરી હતી. પરંતુ રામમંદિર આંદોલન દરમિયાન એમણે કોંગ્રેસથી છેડો ફાડી બીજેપીમાં સામેલ થઇ ગયા હતા.
સંજય સિંહ 1998માં અમેઠી સંસદીય બેઠકથી કોંગ્રેસના કેપ્ટન સતીષ શર્માને હરાવી સાંસદ ચૂંટાયા હતા. ત્યારબાદ એ અટલ બિહારી બાજપાઇ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. રાહુલ ગાંધીના કોંગ્રેસમાં એન્ટ્રી કર્યા બાદ એમણે બીજેપી છોડી કોંગ્રેસમાં વાપસી કરી હતી. 2009માં લોકસભા ચૂંટણીમાં સંજય સિંહ સુલ્તાનપુર બેઠકથી સાંસદ તરિકે ચૂંટાયા હતા.
સંજય સિંહ 2014ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસથી નારાજ થઇ ગયા હતા. જે બાદ પાર્ટીએ એમને આસામથી રાજ્યસભા મોકલ્યા હતા. આ પગલે સુલ્તાનપુર બેઠકથી એમની બીજી પત્ની અમિત સિંહ ચૂંટણી લડ્યા હતા. પરંતુ જીતી શક્યા નહોતા. જોકે, સંજય સિંહની પહેલી પત્ની ગરિમા સિંહ વર્તમાન સમયમાં અમેઠીથી બીજેપીની ધારાસભ્ય છે.