કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. વડોદરાના કરજણમાં રાજીવ સાતવ પ્રચાર માટે પહોંચ્યા છે. ત્યારે રાજીવ સાતવે પેટાચૂંટણી, મુખ્યમંત્રી અને સી.આર. પાટીલને લઇને નિવેદનો આપ્યા છે. સાતવે કહ્યું કે, આ ચૂંટણીનુ કારણ ભાજપની સત્તાલાલસા છે. જનતા ભાજપ સરકારથી ત્રસ્ત છે. ભાજપમાં ભાઈ-ભાઉ વચ્ચે લડાઈ છે. શિક્ષાને લઈને રાજ્યની જનતામાં આક્રોશ છે. ભાજપે ગદ્દારોને કેટલા કરોડમાં ખરીદ્યા ? ભાજપની ખોટી નીતિના જવાબ જનતા આપશે. સાતવે આ દરમિયાન VTV News સાથે ખાસ વાતચીત કરી હતી.
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
ભાજપે ધારાસભ્યો ખરીદ્યા એટલે ચૂંટણી થઈ રહી છે: રાજીવ સાતવ
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું કામ કર્યું છેઃ સાતવ
રાજ્યમાં 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર તેજ કરી દેવાયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ત્યારે રાજીવ સાતવે VTV સાથે વાતચીતમાં જણાવ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વચ્ચે ઝઘડો ચાલે છે. બંનેના ઝઘડામાં નીતિન કાકા પીસાય છે. ભાજપની સત્તા લાલસાના કારણે આ ચૂંટણી આવી છે. કોરોનાકાળમાં ભાજપના કારણે ચૂંટણી યોજાઈ રહી છે. 5 વર્ષમાં 2-2 વખત જનતાને મતદાન માટે મજબૂર કરાઈ છે. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું કામ કર્યું છે. જનતા ભાજપને જવાબ આપશે.
ભાજપે ધારાસભ્યો ખરીદ્યા એટલે ચૂંટણી થઈ રહી છે: રાજીવ સાતવ
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સતાવએ કહ્યું કે, ભાજપે ધારાસભ્યો ખરીદ્યા એટલે ચૂંટણી થઈ રહી છે. આ પેટાચૂંટણી ભાજપના કારણે યોજાઇ રહી છે. તમામ 8 બેઠકો કોંગ્રેસ જીતવા જઈ રહી છે. 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. મુખ્યમંત્રી ખુરશી પર બની રહેવાનો અધિકાર નથી. મુખ્યમંત્રી ચૂંટણી બાદ ગવર્નર કે પૂર્વ મુખ્યમંત્રી બનશે.
આપણા CM વિજય રૂપાણી છે અને રહેશેઃ પાટીલ
લીંબડી ખાતે ભાજપની ચૂંટણી સભામાં સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી બદલવાની ચર્ચા મુદ્દે પાટીલે કહ્યું કે, આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી છે અને રૂપાણી જ રહેશે. આઠ સીટ હારી જાય તો પણ સરકાર હલશે નહીં.
કોંગ્રેસના ધારાસભ્યો મને મળ્યા હતાઃ CM રૂપાણી
તો ધારાસભ્યોની ખરીદી મામલે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો મને મળ્યા હતા. ધારાસભ્યોએ કહ્યું હતું કે કોંગ્રેસની નેતાગીરીથી અમે થાકી ગયા છીએ. કોંગ્રેસની નેતાગીરી સંપૂર્ણ નિષ્ફળ છે.