રાજનીતિ / 25 વર્ષથી ગુજરાતમાં હાલત ખરાબ છે, ભાજપની ખોટી નીતિના જવાબ જનતા આપશે : રાજીવ સાતવ

Congress Rajiv Satav statement CM Rupani CR Patil Gujarat by elections 2020

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. વડોદરાના કરજણમાં રાજીવ સાતવ પ્રચાર માટે પહોંચ્યા છે. ત્યારે રાજીવ સાતવે પેટાચૂંટણી, મુખ્યમંત્રી અને સી.આર. પાટીલને લઇને નિવેદનો આપ્યા છે. સાતવે કહ્યું કે, આ ચૂંટણીનુ કારણ ભાજપની સત્તાલાલસા છે. જનતા ભાજપ સરકારથી ત્રસ્ત છે. ભાજપમાં ભાઈ-ભાઉ વચ્ચે લડાઈ છે. શિક્ષાને લઈને રાજ્યની જનતામાં આક્રોશ છે. ભાજપે ગદ્દારોને કેટલા કરોડમાં ખરીદ્યા ? ભાજપની ખોટી નીતિના જવાબ જનતા આપશે. સાતવે આ દરમિયાન VTV News સાથે ખાસ વાતચીત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ