દેશમાં બધા માટે હજુ વેક્સિન પર્યાપ્ત નથી તો બીજા દેશોને કેમ આપી : કોંગ્રેસ
વેક્સિનના નિકાસને મંજૂરી કઈ રીતે આપી શકાય? : કોંગ્રેસ
કોરોના વાયરસની રસી મુદ્દે દેશમાં હજુ પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે. હવે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પણ કોરોના વાયરસની રસી વિદેશમાં આપવા મુદ્દે સવાલો ઊભા કર્યા છે. બ્રાઝિલને રસીના વીસ લાખ ડોઝ આપવા પર સરકાર સામે સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે હજુ સુધી ભારતની જનતાને કોરોના વાયરસની રસી મળી નથી અને તેની નિકાસ કરવામાં આવી રહી છે. સુરજેવાલાએ કહ્યું કે સવાલ એ છે કે ભારતની પૂરી વસ્તીને કોરોના વાયરસની રસીના ડોઝ આપવામાં આવે તે પહેલા જ વેક્સિનના નિકાસને મંજૂરી કઈ રીતે આપી શકાય? સરકારે બધા માટે કોરોના વાયરસ વેક્સિન એવી નીતિ બનાવવી જોઈએ.
Why is the GOI paying more for a vaccine that was designed & made in India and which has yet to produce results in its phase 3 trials? Shouldn't it be cheaper than Covishield? #FreeVaccineforAllpic.twitter.com/nXt3ngBYIE
Will the Modi govt tell the nation why India is paying a higher price than other countries for the same vaccine? A vaccine that has been produced in India. #FreeVaccineforAllpic.twitter.com/WWY1X6S85g
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની મંજૂરી આપી દીધા બાદ ઘણા બધા દેશોની નજર ભારત પર છે અને ઘણા બધા રાષ્ટ્રપ્રમુખોએ ભારતને રસીકરણ શરૂ થવા પર શુભકામનાઓ પણ પાઠવી છે ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો અને 20 લાખ ડોઝની માંગ કરી હતી. જે બાદ ભારત સરકારે પણ રસી આપવા માટે મંજૂરી આપી દીધી. જે બાદ હવે કોંગ્રેસ આ મુદ્દા પર સવાલો ઊભા કરી રહી છે.
કેટલા લોકોને મફત મળશે વેક્સિન? : કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું કે ભારત કઈં ચાર-છ વર્ષોમાં આત્મનિર્ભર નથી બન્યા. આઝાદીના 73 વર્ષ આત્મનિર્ભરતા પાછળ લાગ્યા છે અને આજે આટલા વર્ષની મહેનતનું પરિણામ છે કે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર દાવો કરી રહી છે કે પહેલા રાઉન્ડમાં કોરોના વાયરસની રસી ત્રણ કરોડ લોકોને આપવામાં આવશે. પીએમ મોદીએ જવાબ આપવાથી બચી રહ્યા છે કે ભારતમાં બાકીની વસ્તી એટલે કે 135 કરોડ લોકોને કોરોના વાયરસની રસી કઈ રીતે મળશે અને શું તે મફત હશે?