દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. સાથે જ રેપ ઇન ઇન્ડિયા વાળા નિવેદન પર કહ્યું કે મારૂ નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે. સત્ય માટે ક્યારેય માફી નહીં માંગૂ. ત્યારે સાવરકરનું નામ લઇને નિવેદન પર હવે શિવસેનાએ પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારૂ નામ રાહુલ ગાંધી, રાહુલ સાવરકર નહીં
કોંગ્રેસ સાવરકરનું અપમાન ન કરે : સંજય રાઉત
નહેરૂ-ગાંધીની જેમ સાવરકર પણ દેશ માટે જીવ્યા: રાઉત
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે સાવરકર માત્ર મહારાષ્ટ્ર નહીં, પરંતુ સમગ્ર દેશના છે. સાવરકરનું સન્માન થવું જોઇએ. નેહરૂ-ગાંધીની જેમ સાવરકરે પણ દેશ માટે પોતાનું જીવન લગાવી દીધું. આવા દરેક મહાનાયકનું સન્માન કરવાની જરૂર છે. કોંગ્રેસ સાવરકરનું અપમાન ન કરે.
Sanjay Raut, Shiv Sena: We respect both Mahatma Gandhi and Pandit Nehru. Please do not insult Veer Savarkar. Intelligent people need not be told anything more. (File pic) pic.twitter.com/Jb9LXL5QTq
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે વીર સાવરકર સમગ્ર દેશ માટે ભગવાનની જેમ છે, મહારાષ્ટ્ર માટે જ નહીં. સાવરકરના નામ પર આત્મસન્માન છે, સાથે જ દેશને પણ ગર્વ છે. નેહરૂ અને ગાંધીની જેમ સાવરકરે પણ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું. આપણે આવા ભગવાન જેવા લોકોનો આદાર કરવો જોઇએ. આ વાત પર આપણે કોઇ સમજૂતી ન કરી શકીએ.
Rahul Gandhi, at party's 'Bharat Bachao' rally: I was told in Parliament by BJP y'day 'Rahul ji, you gave a speech. Apologise for that.' I was told to apologise for something which is right. My name is not Rahul Savarkar. My name is Rahul Gandhi. I will never apologise for truth. pic.twitter.com/XiGWs81YAe
સંજય રાઉતે કહ્યું કે આપણે મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરૂ બન્નેને માનીએ છીએ, પરંતુ તમે સવારકરનું અપમાન ન કરો.
વૈચારિક સ્તરે વહેંચાયેલ બન્ને રાજકીય પક્ષો મહારાષ્ટ્રમાં એક-બીજાના સહયોગથી સરકાર ચલાવી રહ્યા છે. શિવસેનાએ વર્ષો જૂની ભાજપનાથે મિત્રતા તોડી હવે કોંગ્રેસ અને એનસીપી પાર્ટી સાથે મળીને સરકાર બનાવી છે. કોંગ્રેસ જ્યાં સાવરકર પર હંમેશા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપને ઘેરતું રહ્યું છે, ત્યારે શિવસેના સાવરકરને મહાપુરૂષ માનતી આવે છે.
શિવસેના અને ભાજપ બન્ને પક્ષો માટે સાવરકર પ્રતીક પુરૂષ છે. તેવામાં ગઠબંધન છતા શિવસેના માટે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ