રાહુલ ગાંધીનું આ ટ્વિટ એટલે મહત્વનું છે કારણ કે આજે જ નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશના ખેડૂતો, પ્રવાસી મજૂરો અને ગરીબો માટે આપવામાં આવેલી ઘણી છૂટછાટની જાહેરાત કરી છે.
લૉકડાઉનના કારણે ખૂબ પરેશાન છે પ્રવાસી મજૂર
પ્રવાસીઓની સમસ્યાને લઇને છે રાહુલ ગાંધીનું ટ્વિટ
લૉકડાઉનના કારણે પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રવાસી મજૂરો અને ગરીબોની વ્યથા દર્શાવતા એક માર્મિત વીડિયો ટ્વિટ કર્યો. વીડિયોમાં મોટા શહેરોથી પોતાના ઘરે ચાલતા જઇ રહેલા લોકોની દુર્દશા જોવા મળી છે. એની સાથે જ આ વીડિયોમાં એક ગીત પણ વાગતું સંભળાય છે જેમાં પણ મજૂરોનું દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે રાહુલ ગાંધી મોદી સરકારને ઘેરવા માટે સતત પ્રયત્નો કરે છે. લૉકડાઉન દરમિયાન જ રાહુલ ગાંધીએ સરકારના ઘણા નિર્ણયો પર પ્રશ્નો ઊઠાવ્યા હતા.
વીડિયોની સાથે જ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે, 'અંધકાર છે મુશ્કેલીનો સમય છે, હિંમત રાખો- અમે આ દરેકની સુરક્ષામાં ઊભા છીએ. સરકાર સુધી એમની ચીસો પહોંચાડીને રહીશું, એમના હકની દરેક મદદ અપાવીને રહીશું, દેશની સાધારણ જનતા નથી આ તો દેશના સ્વાભિમાન ધ્વજ છે...એને ક્યારેય પણ નમવા દઇશું નહીં.'
अंधकार घना है कठिन घड़ी है, हिम्मत रखिए-हम इन सभी की सुरक्षा में खड़े हैं। सरकार तक इनकी चीखें पहुँचा के रहेंगे, इनके हक़ की हर मदद दिला के रहेंगे। देश की साधारण जनता नहीं, ये तो देश के स्वाभिमान का ध्वज हैं... इसे कभी भी झुकने नहीं देंगे। pic.twitter.com/bBf48DiluY
જણાવી દઇએ કે રાહુલ ગાંધીનું ટ્વિટ એટલા માટે મહત્વનું છે કારણ કે આજે જ નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશના ખેડૂતો, પ્રવાસી મજૂરો અને ગરીબો માટે આપવામાં આવતી છૂટછાટની જાહેરાત કરી છે. જણાવી દઇએ કે કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા સમગ્ર દેશવ્યાપી લૉકડાઉનમાં સૌથી વધારે સમસ્યા શહેરી ગરીબો અને પ્રવાસી મજૂરોએ સામનો કરવો પડ્યો છે કારણ કે એમની સામે રોજીરોટીની સમસ્યા પેદા થઇ ગઇ છે.
પૈસા અને કામના અભાવમાં મજૂર વર્ગ મોટા શહેરોથી પોતાના ઘરે જવા મજબૂર થયો. પરંતુ તેમ છતાં તમામ રસ્તા અને તમામ હાઇવે પર લોકોનો જથ્થો ચાલતો નજરે જોવા મળી રહ્યો છે.