રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. ગત ગુરુવારે સુરતની કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અટકને લઈને કરેલી ટિપ્પણીના કેસમાં તેમને બે વર્ષની સજા સંભળાવી હતી, ત્યારબાદ તેમની સંસદ સભ્યપદ અંગે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીને માનહાની કેસમાં કોર્ટે ફટકારી સજા
રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું
સોશ્યલ મીડિયા પર કોમેન્ટ્સનો દોર શરૂ થયો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. માનહાનિના એક કેસમાં સુરત કોર્ટે તેને ગત ગુરુવારે બે વર્ષની સજા સંભળાવી હતી, ત્યારબાદ આ મોટો નિર્ણય આવ્યો હતો. જેના કારણે માત્ર રાહુલ ગાંધી જ નહીં કોંગ્રેસને પણ મોટો ફટકો પડ્યો છે. તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા. માનહાનિનો કેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અટકને લઈને કરવામાં આવેલી ટિપ્પણી સાથે સંબંધિત છે. વાસ્તવમાં મામલો એવો છે કે વર્ષ 2019માં કર્ણાટકના કોલારમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીની અટકને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમના નિવેદન બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી.
Rahul Gandhi - Congress MP from Wayanad, Kerala - disqualified as a Member of Lok Sabha following his conviction in the criminal defamation case over his 'Modi surname' remark. pic.twitter.com/SQ1xzRZAot
રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર આવતા જ લોકો જુદી જુદી વાતો કરવા લાગ્યા. કેટલાક કહી રહ્યા છે કે હવે બંગલો પણ ખાલી કરવો પડશે તો કેટલાક કહી રહ્યા છે કે આ ખૂબ જ સારો નિર્ણય છે. તેવી જ રીતે એક યુઝરે લખ્યું છે કે 'આ ખોટું થયું... સંસદ હવે બોરિંગ થઈ ગઈ છે'.