કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ જણાવી દીધું કે તેઓ સાધ્વી પ્રજ્ઞા પર આપેલ નિવેદનને પરત લેશે નહીં. તેમણે કહ્યું કે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી છે. હું મારા નિવેદન પર અડગ છું અને માફી માગીશ નહીં.
રાહુલ ગાંધી પોતાના નિવેદન પર અડગ
નિવેદન પરત નહીં લેવાની કરી વાત
ભાજપે મોશન ઓફ પ્રિવિલેજનો ઉપયોગ કરવાનું જણાવ્યું
રાહુલનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે પ્રજ્ઞાને આતંકી કહેવા પર ભારતીય જનતા પાર્ટીએ તેમના વિરૂદ્ધ જંગ છેડ્યો. સદનમાં સાધ્વી પ્રજ્ઞાએ માફી માગ્યા બાદ ગોડ્ડાથી ભાજપના સાંસદ ડોક્ટર નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું તેમની સામે મોશન ઓફ પ્રિવિલેજનો ઉપયોગ કરશે.
શિવસેના પર સાધ્યું નિશાન
#WATCH Delhi: Congress MP Rahul Gandhi reacts to BJP MP Nishikant Dubey demanding to bring privilege motion against him for calling BJP MP Pragya Singh Thakur, a 'terrorist'. He says, "Do it. Do whatever you want to. I have clarified my position." pic.twitter.com/iNZiQk7ULl
નિશિકાંતે રાહુવના નિવેદનને મહાત્મા ગાંધીની હત્યાથી પણ બદતર કૃત્ય ગણાવ્યું હતું. તેમણે શિવસેનાને પણ ઝપટમાં લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા અને લાલચ માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. મહારાષ્ટ3માં શિવસેનાની સાથે સરકાર બનાવી લીધી. શિવસેનાએ સામનામાં ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં માગી માફી
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે મારા નિવેદનથી જો કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગું છું. હું મહાત્મા ગાંધીના કામનું સન્માન કરું છું. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. મારી પર કોઈ આરોપ સિદ્ધ થયો નથી. અને તેના વિના મને આતંકી કહેવું ગેરકાયદેસર છે. મને શારિરીક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. આ મારા સન્માનને ઠેસ પહોંચાડવા બરોબર છે.
BJP MP Nishikant Dubey in Lok Sabha: Congress has made government with Shiv Sena in Maharashtra. Shiv Sena called Nathuram Godse a patriot in 'Saamna'. Congress satta aur lalach ke liye kisi bhi seema tak ja sakti hai. pic.twitter.com/hZ8nFILrgI
આ પહેલાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ અને સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીની સાથે મુલાકાત કરી. સંસદમાં થયેલી બેઠકમાં ભાજપના મોટા નેતાઓએ પ્રજ્ઞા ઠાકુરને પોતાનો પક્ષ રાખવા કહ્યું હતું.