બુલડોઝર બંધ કરો, પાવર પ્લાન્ટ શરૂ કરો : રાહુલ ગાંધી
બુલડોઝરથી માત્ર મકાન નહીં, બંધારણ ધ્વસ્ત થઇ રહ્યું છે : કોંગ્રેસ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો શરૂ જ છે. ત્યારે એક વાર ફરી તેઓએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ બુધવારના રોજ દિલ્હી અને મધ્યપ્રદેશના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં બુલડોઝરનો ઉપયોગ કરવા બદલ સરકારની ટીકા કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નફરતના બુલડોઝર' ને બંધ કરવા અને પાવર પ્લાન્ટને શરૂ કરવા વિનંતી કરી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નફરતના બુલડોઝર' ને બંધ કરવા અને પાવર પ્લાન્ટ શરૂ કરવાનો આગ્રહ કર્યો છે. તેઓએ દેશમાં કોલસાની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને એક સમાચાર શેર કરીને તેમાં એવો દાવો કર્યો હતો કે દેશના પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે વીજ ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાની ચિંતા વધી છે.
This is a demolition of India’s constitutional values.
This is state-sponsored targeting of poor & minorities.
બુલડોઝર બંધ કરો, પાવર પ્લાન્ટ શરૂ કરો: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટ્વિટર પર કહ્યું કે, આઠ વર્ષની મોટી-મોટી વાતોના પરિણામસ્વરૂપે ભારત પાસે માત્ર 8 દિવસનો જ કોલસાનો ભંડાર છે. તેઓએ વધુમાં કહ્યું કે, મોદીજી, મોંઘવારીનો દર વધી રહ્યો છે. પાવર કટ નાના ઉદ્યોગોને કચડી નાખશે, જેનાથી અનેક નોકરીઓ જશે. આથી, નફરતના બુલડોઝર બંધ કરો અને પાવર પ્લાન્ટ શરૂ કરો.
8 years of big talk has resulted in India having ONLY 8 DAYS of coal stocks.
Modi ji, stagflation is looming. Power cuts will crush small industries, leading to more job losses.
કોંગ્રેસ નેતાએ કેન્દ્ર પર આ પ્રહાર દિલ્હીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં અને મધ્યપ્રદેશમાં એવાં લોકો વિરૂદ્ધ અતિક્રમણ વિરોધી અભિયાનમાં બુલડોઝરનો ઉપયોગ કરવા બદલ કર્યો હતો. જેની પર ભારતીય જનતા પાર્ટીએ રમખાણોનો કરાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એમ પણ કહ્યું છે કે, નફરતના બુલડોઝર પર સવાર થઈને ભાજપ સરકાર સંપૂર્ણપણે બેબાકળી થઇ ગઇ છે. મોંઘવારી, બેરોજગારી જેવાં મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આ લોકો નીચા સ્તરે આવી ગયા છે. એટલાં માટે આ નફરત સામે અવાજ ઉઠાવવો જરૂરી છે.
गांधी के सीने पर गोलियां दागने के बाद अब उनके देश की महानता पर बुलडजोर का वार है। pic.twitter.com/e0XF2JDZTq
તમારું અને અમારું બંધારણ પણ ધ્વસ્ત થઇ રહ્યું છે : કોંગ્રેસ
કોંગ્રેસે પ્રહાર કરતા જણાવ્યું કે, 'ગાંધીની છાતી પર ગોળી છોડ્યા બાદ હવે તેમના દેશની મહાનતા પર બુલડોઝરનો આ પ્રહાર છે. આ પહેલાં કોંગ્રેસે જણાવ્યું કે, 'બુલડોઝરથી માત્ર મકાન જ ધ્વસ્ત નથી થઇ રહ્યાં, તમારું અને અમારું બંધારણ પણ ધ્વસ્ત થઇ રહ્યું છે.'
આમ આદમી પાર્ટીની નેતા આતિશીએ પણ આ મુદ્દા પર કહ્યું હતું કે, દેશભરમાં રમખાણો થઇ રહ્યાં છે. જગ્યા-જગ્યાએ ગુંડાગર્દી અને લફંગાઇ થઇ રહી છે. આ તમામ રમખાણ ભાજપ કરાવી રહી છે. અમે ગેરંટી આપીએ છીએ, ભાજપ મુખ્યાલય પર બુલડોઝર ચલાવી દો, આખાય દેશમાં રમખાણો રોકાઇ જશે.