મુંબઈઃ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા બાદ પીએમ મોદીને ભેટીને આવે છે. ત્યારે આ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી પીએમ મોદીને ભેટે છે તે ફોટો લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખ કરાયો છે કે નફરતથી નહીં પણ પ્રેમથી જીતીશું. મહત્વનું છે કે રાહુલ ગાંધી પીએમ મોદીને ભેટ્યા બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ પ્રકારના પોસ્ટર લગાવીને પોસ્ટર પોલિટિક્સ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં બોલતા અચાનક રાહુલ ગાંધી પોતાની જગ્યાએથી પીએમ મોદીની સીટ પર ચાલ્યા ગયા હતા. જો કે સંસદમાં હાજર કોઇ પણ સભ્યને આની આશા નહોતી અને તેમને ગળે લગાવી આવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભલે તમે મને પપ્પૂ કહો ગાળો આપો પરંતુ મારી અંદર તમારા પ્રત્યે નફરત નહીં હોય. હું તમારા પ્રત્યેની નફરત અને ઇર્ષ્યાને ફેંકી દઇશ અને દિલથી તમને જીતીશ.
જો કે રાહુલના આ વ્યવહારની ભાજપ નેતાઓએ આલોચના કરી હતી. ભાજપ સાંસદ કિરણ ખેરે તો ત્યાં સુધી કહ્યું હતું કે રાહુલ ગાંધીને શરમ આવવી જોઇએ. અન્ય ભાજપી નેતાઓએ પણ આને મર્યાદા વિરૂદ્ધ માન્યું હતું. ત્યારે કોંગ્રેસે આને સ્પોન્ટેનિયસ બતાવ્યું હતું.