ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વિધાનસભા સુધી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે અને અન્ય કેટલીક માગ સાથે કોંગ્રેસ નેતાઓ માર્ગો પર ઉતર્યા હતા. જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. તો કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ પોલીસના વાહન પર પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં વાહનના કાચ તૂટી ગયા હતા. તો બીજી તરફ પોલીસે પણ કાર્યકર્તાઓ પર પાણીનો મારો કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
કોંગ્રેસની વિધાનસભા તરફ કૂચ
રાજ્ય સરકાર સામે કોંગ્રેસનું પ્રદર્શન
ધારાસભ્યો અને કોંગ્રેસના કાર્યકરો કૂચમાં જોડાયા
ગાંધીનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ઘર્ષણના મામલે પોલીસે નિવેદન આપ્યું છે. કોંગ્રેસદ્વારા મંજૂરી વિના રેલી કાઢવામાં આવીહતી. પથિકાશ્રમ પાસે રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા બેરીકેડ ખસેડીને ઘુસવાનો પ્રયાસ કરાયો હતો. જો કે કાર્યકર્તાઓ કરતા અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે અમિત ચાવડા, પરેશ ધાનણી સહિતના તમામ ધારાસભ્યોની અટકાયત પણ કરી હતી.
આજથી રાજ્યમાં વિધાનસભાનું ત્રિદિવસીય સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભાનું ત્રિદિવસીય સત્રમાં તોફાની બની રહેવાન શક્યતા છે. કોંગ્રેસને સરકારને વિધાનસભામાં ઘેરવા મુદ્દે રણનીતિ તૈયારી કરી છે. જેને લઇને આજરોજો કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચ કરી ઘેરાવ કરવામાં આવશે. જોકે કોંગ્રેસના વિધાનસભા ઘેરાવને લઇને વિધાનસભા બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓને અટકાવવા માટે પાણીમારો ચલાવામાં આવ્યો હતો અને ત્યારબાદ નેતાઓની અટકાયત કરવામાં આવી.
જો કે સરકાર દ્વારા કોંગ્રેસને રેલીને લઇને પરવાનગી આપવામાં આવી નથી. આમ કોંગ્રેસનું સરકાર સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના કાર્યકરો કૂચમાં જોડાયા છે.
જો કે પોલીસ દ્વારા વિધાનસભાના તમામ ગેટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે તમામ ગેટ પર ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરી વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે અગાઉ આ મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે, રાજ્યમાં દિવસે દિવસે વિવિધ પરીક્ષાઓના પેપર લીક થઈ રહ્યા છે, મહિલાઓ પર અત્યાચારના કેસમાં વધારો થઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જેના કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે.
જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે સરકાર તમામ મુદ્દાઓને લઈને નિષ્ફળ સાબિત થઈ છે. ખેડૂત હોય કે આજનો યુવાન હોય તમામ લોકોમાં સરકાર વિરુદ્ધ રોષ છે. સરકારી પરીક્ષાઓમાં બેદરકારી અને પેપર ફૂટી જવા સામાન્ય થઈ ગયા છે. જેના કારણે યુવાનોનું ભાવિ મુશ્કેલીમાં મુકાયું છે.