બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / NEET પરીક્ષા કૌભાંડને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિનું રસ્તા રોકો આંદોલન
Last Updated: 09:41 PM, 24 June 2024
NEET પેપર લીક પરીક્ષા કૌભાંડને લઈ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરી બહાર પૂતળા દહન અને રસ્તા રોકો આંદોલન કર્યુ હતુ.
ADVERTISEMENT
કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની કરાઈ અટકાયત
ADVERTISEMENT
ભાજપ સરકારનો વિરોધ કરતાં બેનર હાથમાં સૂત્રોચ્ચાર કરતા અને પૂતળા દહન કરવાનો પ્રયાસ કરતાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાતા કોંગ્રેસના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી.
આ પણ વાંચો: સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી સામે દુષ્કર્મ કેસમાં સેવકની ધરપકડ, રાજકોટ LCBએ મહારાષ્ટ્રથી ઝડપ્યો
આ કેસની તપાસ CBI કરી રહી છે
આપને જણાવી દઈએ કે, NEET પેપર લીક મામલે તપાસ સીબીઆઈ સોંપવામાં આવી છે. ગોધરામાં થયેલી ગેરરીતિ અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં 8 મેના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ સીબીઆઈને સોંપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે નીટમાં થયેલી ગેરરીતિ મામલે ભારત સરકારે પણ તપાસ સીબીઆઇને સોંપી છે. ત્યારે ગોધરામાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિની વિસ્તૃત તપાસ થઈ શકે તે હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો હતો.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.