કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે ટ્વીટ કરી કહ્યું કે અડધી રાતે જસ્ટીસ મુરલીધરની બદલી હેરાન કરનારી છે. સરકાર ન્યાયનું મોઢું દબાવવા માંગે છે. જસ્ટિસ મુરલીધરને દિલ્હીથી પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.
રાષ્ટ્રપતિ ભવનથી જસ્ટિસ મુરલીધરની બદલીની યાદી જાહેર થઈ
જજની બદલી પર પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યો છે
પ્રિયંકાએ કહ્યું સરકાર ન્યાયનું મોંઢુ બંધ કરવા માંગે છે
પ્રિયંકા કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા આશ્ચર્ય વ્યક્ત કર્યું
દિલ્હીમાં ગત દિવસોમાં હિંસા પર બુધવારે સુનવણી દરમિયાન પોલીસનો ઉધડો લીધો હતો. દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ એસ. મુરલીધરને મોડી રાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જજની બદલીને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
The midnight transfer of Justice Muralidhar isn’t shocking given the current dispensation, but it is certianly sad & shameful.
Millions of Indians have faith in a resilient & upright judiciary, the government’s attempts to muzzle justice & break their faith are deplorable. pic.twitter.com/KKt4IeAMyv
પ્રિયંકાએ કહ્યું સરકાર ન્યાયનું મોંઢુ બંધ કરવા માંગે છે
પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ટ્વીટ કરી કહ્યું કે હું અડધી રાતે જસ્ટિસ મુરલીધરની બદલીથી હેરાન થઈ છું. સરકાર ન્યાયનું મોંઢુ બંધ કરવા માંગે છે. જણાવી દઉ કે જસ્ટિસ મુરલીધરને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યાં છે.
જજ મુરલીધરના ઘરે અડધી રાતે સુનવણી થઈ હતી
કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ મુરલીધરને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં જજ તરીકે પદ સંભાળવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે નાગરિક્તા સંશોધનના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસામાં ઘાયલ સુરક્ષા અને સમસ્યાના નિરાકરણ માટે દિલ્હી હાઈકોર્ટના જજ મુરલીધરના ઘરે અડધી રાતે સુનવણી થઈ હતી.
કોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો હતો કે તે મુસ્તફાબાદના એક હોસ્પિટલથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો આપે અને દર્દીઓને સરકારી હોસ્પિટલ શિફ્ટ કરાવે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની આ હિંસા બાદ રાજકારણ ગરમાયું છે.