નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ એટલે કે NRCની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીએ રવિવારે દિલ્હીના રાજઘાટમાં થનારા પ્રદર્શનને એક દિવસ માટે ટાળ્યું છે. હવે કોંગ્રેસ પાર્ટીના સોનિયા અને રાહુલ ગાંધી પણ આવતીકાલે એટલે કે સોમવારે રાજઘાટ પર ધરણા પ્રદર્શન કરશે.
મળતી માહિતી અનુસાર કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ધરણામાં સામેલ થશે. આ સિવાય કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ સામેલ થઈ શકે છે. આ પહેલાં રવિવારે રામલીલા મેદાનમાં પીએમ મોદી રેલી કરશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શુક્રવારે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં ચાલી રહેલા પ્રોટેસ્ટમાં પણ પહોંચી હતી. જ્યારે સોનિયા ગાંધીએ વીડિયો બનાવીને મોદી સરકાર પર જનતાનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો.