કોંગ્રેસ મહાસચિવે ટ્વિટ કરીને કહ્યું કે 5 વર્ષમાં નોકરીઓ પેદા થઇ નથી અને જે નોકરીઓ હતી એ સરકાર દ્વારા લાવવામાં આવેલી આર્થિક મંદીના કારણે છીનવાઇ રહી છે. એમને કહ્યું, નૌ જવાન રસ્તો જોઇ રહ્યા છે કે સરકાર કંઇક સારું કરે. પ્રિયંકાએ કહ્યું કે આ લોકો ઉત્તર ભારતીયોનું અપમાન કરીને બચવા ઇચ્છે છે.
સંતોષ ગંગવારે કહ્યું હતું કે દેશમાં રોજગારની કોઇ કમી નથી
સંતોષ ગંગવારે કહ્યું હતું કે ઉત્તર ભારતમાં કાબિલ લોકોની ખામી છે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક વખત ફરીથી અર્થવ્યવસ્થા અને રોજગાર મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારના નોકરી વાળા નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે પાંચ વર્ષમાં નવી નોકરીઓ આવી નથી.
કોંગ્રેસ મહાસચિવે ટ્વિટ કરીને કહ્યું કે 5 વર્ષમાં નોકરીઓ પેદા થઇ નથી અને જે નોકરીઓ હતી એ સરકાર દ્વારા લાવેલી આર્થિક મંદીના કારણે છીનવાઇ રહી છે. એમને કહ્યું કે નૌજવાન રસ્તો જોઇ રહ્યા છે કે સરકાર કંઇક સારું કરે. પ્રિયંકાએ કહ્યું કે આ લોકો ઉત્તર ભારતીયોનું અપમાન કરીને બચવા ઇચ્છે છે.
જણાવી દઇએ કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે ઉત્તર ભારતમાં સારું શિક્ષણ પ્રાપ્ત થયેલા યુવાઓની ખામી છે. એમને કહ્યું કે દેશમાં રોજગારની કમી નથી પરંતુ યોગ્ય લોકોની ખામી છે. મને જાણકારી છે કે દેશમાં રોજગારની કોઇ કમી નથી. રોજગાર ખૂબ છે.
એમને કહ્યું કે રોજગાર ઓફિસ ઉપરાંત અમારું મંત્રાલય પણ એનું મોનિટરિંગ કરી રહ્યું છે. રોજગારની કોઇ સમસ્યા નથી પરંતુ જે કંપનીઓ રોજગાર આપવા આવે છે, એમનું કહેવું છે કે આ યુવાઓમાં યોગ્યતા નથી. મંદીની વાત સમજમાં આવી રહી છે, પરંતુ રોજગારની કમી નથી.