દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર પીએમ નરેન્દ્ર મોદીના કડક બોલ પર કોંગ્રેસે જોરદાર પ્રહાર કર્યો. હરિયાણાની અંબાલા રેલી દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદીએ એમના શહીદ પિતાનું અપમાન કર્યું.
કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીની દુર્યોધન સાથે સરખામણી કરી અને કહ્યું કે એમને મારા શહીદ પિતાનું અપમાન કર્યું છે, સહન નહીં કરું. પ્રિયંકા ગાંધીએ મેચથી ઊતરીને લોકો સાથે મુલાકાત પણ કરી. પ્રિયંકા ગાંધી આજે હરિયાણાના અંબાલા જિલ્લામાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા.
એ કુમારી સૈલજાના પક્ષમાં વોટ કરવા માટે અપીલ કરવા પહોંચ્યા. જણાવી દઇએ કે હરિયાણામાં કોંગ્રેસના પ્રચારને અને ધાર આપવા માટે રાહુલ ગાંધી બાદ હવે પાર્ટી મહાસચિવ અને એમની બહેન પ્રિયંકા ગાંધી મેદાનમાં આવ્યા છે. પ્રિયંકાની જનસબાઓ અને રોડ શે ને સફળ બનાવવા માટે દિગ્ગજ કોંગ્રેસિઓએ પૂરી તાકાત લગાવી દીધી છે.
Priyanka Gandhi Vadra in Ambala, Haryana: Chunav ke prachar mein BJP ke neta kabhi ye nahi kehte ki unhone jo wade kiye the woh poore kiye ya nahi. Kabhi shaheedon ke name pe vote maangte hai, toh kabhi mera parivaar ke shaheed sadasyon ka apaman karte hain. pic.twitter.com/tvXp6H8xOA
— ANI (@ANI) May 7, 2019
પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધિત કરતાં મહાભારતના એક પ્રસંગની ચર્ચા કરી. એમને કહ્યું કે ઘમંડ તો દુર્યોધનનું પણ તૂટી ગયું હતું, તો પીએમ મોદી શું ચીજ છે. એમનું ઘમંડ પણ તૂટશે અને આખી દુનિયા જોશે. એ દરમિયાન પ્રિયંકાએ રાષ્ટ્રકવિ દિનકરની કવિતા પણ સંભળાઇ.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકસભા ચૂંટણી 2019 કોઇ એક પરિવાર માટે થઇ રહી નથી. પીએમ મોદીએ મારા શહીદ પિતાનું અપમાન કર્યું છે. એમની પર આપેલું નિવેદન બિલકુલ સહન નહીં કરવામાં આવે.