કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં થઇ રહેલ ગેંગરેપ અને હત્યા મામલે કેન્દ્ર અને રાજ્યની સરકારો પર પ્રહાર કરતા કહ્યું કે રેપના આરોપીઓને સરકાર બચાવવા લાગી છે. તેમણે કહ્યું કે આજે મહિલાઓ અસુરક્ષિત અનુભવી રહી છે, કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી.
ગેંગરેપ પર પ્રિયંકાના કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર
કહ્યું- રેપના આરોપીઓને બચાવવા લાગી છે સરકાર
તેમણે કહ્યું કે, આ ઉન્નાવના કેસમાં પણ ચાર મહિના લાગ્યા અને ફરિયાદ દાખલ કરવામાં અને ફરિયાદ પણ ત્યારે થઇ જ્યારે કોર્ટે કહ્યું. સરકારે એ નિર્ણય લેવો પડશે કે તેઓ મહિલાઓના પક્ષમાં છે કે ગુનેગારોના પક્ષમાં અને કાર્યવાહી પણ કરવી પડશે.
મહિલાઓ માટે લડીશુંઃ પ્રિયંકા ગાંધી
પ્રિયંકાએ કહ્યું કે, અમે તમામ પ્રકારથી મહિલાઓ માટે લડીશું. સમાજમાં મહિલાઓને સત્તા મળવી જોઇએ. પોતાની બહેનોને કહું છું કે તમે પુરૂષો પાસેથી સત્તા છીનવો, પંચાયત ચૂંટણી લડો, વિધાનસભા ચૂંટણી લડો, આગળ વધો અને રાજનીતિમાં આવો, તેથી જ્યારે આ પ્રકારની ઘટનાઓ થાય છે તો તમે પોતાને બચાવી શકશો.
#WATCH Congress leader Priyanka Gandhi Vadra: Mahilaon ko satta milni chahiye. Mein apni beheno se kehti hun ki aap satta chiniye purushon se- panchayat, vidhan sabha ke chunav ladiye, ki aapke haath mein satta aaye. pic.twitter.com/WevsW6UVkQ
તેમણે કહ્યું કે, કાયદો બહુ જ સ્પષ્ટ છે, નિર્ભયા કાંડ બાદ કાયદો સ્પષ્ટ બની ગયો હતો. ફાસ્ટ ટ્રેક કોર્ટનું પણ પ્રોવિઝન હતું, પરંતુ તેમને લાગૂ કરવાની જરૂર છે.
ઉન્નાવ મામલાને લઇને યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જો કોઇ મહિલાની સાથે અત્યાચાર થશે અને 4 મહિના સુધી ફરિયાદ પણ દાખલ નહીં કરો, કોઇ કાર્યવાહી નહીં કરો, ગુનેગારને બે મહિના સુધી જામીન પર છોડી દેશો. તેવામાં તમે કાયદો વ્યવસ્થાને લાગૂ નહીં કરી રહ્યા.