ગાંધીનગર મહાનગર પાલિકાની પરિણામ આવી ગયા છે ત્યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી ભાપજ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપે સત્તા મેળવવા માટે હવે આ નવો કિમીયો અપનાવ્યો છે
ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય
ગાંધીનગરમાં AAP ભાજપની બી-ટીમ હતી
ખામી હશે તે સુધારવા પ્રયાસ કરીશું
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેર થયું જેમાં ચૂંટણીપ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે એડીચોંટીનું જોર લગાવી દીધું હતું, પરંતુ જેમ-જેમ પરિણામ આવતાં ગયાં તેમ તેમ કોંગ્રેસનો રકાસ થતો જોવા મળ્યો તો આપનું પણ સુરસુરિયું થઈ ગયું ભાજપે ફરી ઇતિહાસ રચ્યો છે અને 10 વર્ષમાં પહેલીવાર ભાજપે બહુમતી મેળવી મોટા ભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી ગઈ છે.
ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની પત્રકાર પરિષદ
ગાંધીનગર મહાનગર પાલિકાની પરિણામ આવી ગયા છે ત્યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી ભાપજ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગાંધીનગર મહાનગર પાલિકામાં કોંગ્રેસનો કારમો પરાજય થતા કોંગ્રેસે હારની જવાબદારી સ્વીકારતા પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી જેમાં કોંગ્રેસ નેતા મનિષ દોશીએ કહ્યું કે ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે જેમાં ભાજપના કારનામાઓ સામે કોંગ્રેસે કાંટેકી ટક્કર આપી છે.
ગાંધીનગરમાં AAP ભાજપની બી-ટીમ હતી
ગાંધીનગર મનપામાં મોટા ભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે ત્યારે આપ આદમી પાર્ટીએ પણ પોતાનું ખાતું ખોલાવ્યું છે, એવામાં કોંગ્રેસ નેતા મનિષ દોશીએ આપ પાર્ટી પર સંકોજો કસતા આમ આદમી પાર્ટીને ભાજપની બીટીમ ગણાવી આપ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા મનિષ દોષીએ કોંગ્રેસને 28 ટકા મત મળ્યા તો આપ પાર્ટીને 21 ટકા મત મળ્યા હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં મત વિભાજન દ્વારા ભાજપે સત્તા મેળવવા માટે નવો કિમિયો અપનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ખામી હશે તે સુધારવા પ્રયાસ કરીશું
મહત્વનું છે કે હવે મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો આવી છે પરતું આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે એવામાં કોંગ્રેસ પક્ષ જનતાનો અવાજ બની રહેશે, કોંગ્રેસ ખેડૂતો, યુવાનો, બેરોજગારોની સમસ્યા મુદ્દે જનતાનો અવાજ બનશે તેમજ સંગઠન અને મેનેજમેન્ટની ખામીઓને સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે, સાથે જ ગુજરાતના હિતમાં કોંગ્રેસ હંમેશા આગળ રહેશે, મનિષ દોશીએ પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં કહ્યું કે 2022માં કોંગ્રેસ જનતાના મુદ્દાઓને લઈને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે