રાજ્યસભાથી નાગરિકતા સંશોધન બિલ 2019 પાસ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કડક પ્રતિક્રિયા આપી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે આજનો દિવસ ભારતના બંધારણીય ઇતિહાસનો કાળો દિવસ છે.
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 પાસ થયું
સોનિયા ગાંધીએ કહ્યું કે આજનો દિવસ ભારતના બંધારણીય ઇતિહાસનો કાળો દિવસ છે
બિલનું પાસ થવું ભારતના બહુમતીવાદ પર સંકુચિત માનસિકતા અને કટ્ટરપંથી તાકાતોની જીત
સોનિયા ગાંધીએ એક નિવેદન જાહેર કરી કહ્યું, આજે ભારતના બંધારણીય ઇતિહાસનો કાળો દિવસ છે. નાગરિકતા સંશોધન બિલનું પાસ થવું ભારતના બહુમતીવાદ પર સંકુચિત માનસિકતા અને કટ્ટરપંથી તાકાતોની જીત જોઇ રહ્યા છીએ. સોનિયા ગાંધીએ કહ્યું કે અમારા પૂર્વજ આઇડિયા ઓફ ઇન્ડિયાના જે આદર્શને લઇને લડ્યા હતા, આ બિલ મૌલિક રૂપે તેની વિરુદ્ધ છે. આ બિલ એક એવા વિકૃત અને વહેંચાયેલા ભારતના નિર્માણની કોશિશ કરે છે, જ્યાં ધર્મ જ રાષ્ટ્રીયતાને નિર્ધારિત કરે છે.
નોંધનીય છે કે, કોંગ્રેસે લોકસભા અને રાજ્યસભામાં આ બિલનો વિરોધ કર્યો હતો, અને બિલને ગેરબંધારણીય અને ધર્મના આધારે વહેંચનારુ બતાવ્યું હતું. રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019ના વિરુદ્ધ 105 વોટ અને સમર્થનમાં 125 વોટ પડ્યા હતા.
સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણા દેશનો એ ઇતિહાસ રહ્યો છે જ્યાં ઐતિહાસિક રૂપે તમામ ધર્મો અને તમામ દેશના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવતી રહી છે.