કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ સોમવારે આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે સંશોધિત નાગરિકતા કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) પર દેશને ગેરમાર્ગે દોર્યો છે.
સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો, 'સરકારે દમન ચક્ર ચલાવી રાખ્યું છે, ઘૃણા ફેલાવી રાખી છે
સોનિયા ગાંધીએ કહ્યું કે, બંધારણને કમજોર કરવામાં આવી રહ્યું છે
સોનિયા ગાંધીએ દાવો કર્યો કે, 'આસામમાં એનઆરસી (NRC) ઉલટી પડી ગઇ
કેટલીય વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો, 'સરકારે દમન ચક્ર ચલાવી રાખ્યું છે, ઘૃણા ફેલાવી રાખી છે અને લોકોને સમુદાયના આધારે વહેંચી રહી છે.' તેઓએ કહ્યું કે, બંધારણને કમજોર કરવામાં આવી રહ્યું છે, સરકાર લોકો પર અત્યાચાર કરી રહી છે, સરકારી મશીનરીનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. બંધારણને બાજુમાં રાખીને ઉથલ-પુથલ કરવામાં આવી રહી છે.
સોનિયા ગાંધીએ દાવો કર્યો કે, 'આસામમાં એનઆરસી (NRC) ઉલટી પડી ગઇ. મોદી-શાહ સરકાર હવે એનપીઆર (NPR) ની પ્રક્રિયા શરૂ કરવામાં લાગી છે. એ સ્પષ્ટ છે કે, એનપીઆર (NPR)ને આખા દેશમાં એનઆરસી (NRC) લાગૂ કરવા માટે કરવામાં આવી રહી છે.'
નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં 20 પાર્ટીઓના નેતા સામેલ થયા. આ બેઠકમાં સીએએ (CAA) ના વિરોધમાં થયેલા પ્રદર્શનો અને ઘણા યુનિવર્સિટી કેમ્પસમાં હિંસા બાદ પેદા થયેલી સ્થિતિ, આર્થિક મંદી તથા ઘણા અન્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી.
પાર્લિયામેન્ટ અનેક્સીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, NCPના પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, એ કે એન્ટની, સીતા રામ યેચુરી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિતના નેતા હાજર હતા.