કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પટિલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં સાંજે 7 વાગે ભરતી કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલના ચેરમેન ડીએસ રાણાએ જણાવ્યું કે સોનિયા ગાંધીને રુટિન ચેકઅપ માટે ભરતી કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સ્ટેબલ છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સોનિયા ગાંધીને ગંગારામ હોસ્પિટલમાં પેટના દુખાવાની ફરિયાદ હોવાથી ભરતી કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સાંજે 7 વાગે ભરતી કરવામાં આવ્યા છે
સોનિયા ગાંધીને રુટિન ચેકઅપ માટે ભરતી કરવામાં આવ્યા હતા
પહેલા પેટના દુખાવાની ફરિયાદ હોવાથી ભરતી કરવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી વિદેશમાં પણ સારવાર કરાવી ચૂક્યા છે. વર્ષ 2017માં તેમને અમેરિકા જઈને સારવાર કરાવી હતી. 73 વર્ષના સોનિયા ગાંધી ગત વર્ષોમાં સ્વાસ્થાય સંબંધી સમસ્યાઓથી ઘેરાયેલા છે. જેને કારણે તેઓ રાજકીય સક્રિયતામાં કમી જોવા મળી હતી. રાહુલ ગાંધીનું અધ્યક્ષ પદ પરથી રાજીનામુ પડતા તેઓ ફરી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. રાહુલ ગાંધી પહેલા તેઓ લાંબા સમયથી અધ્યક્ષ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી સોમવારે સવારે પાર્ટીના રાજ્યસભાના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સમાં બેઠા પણ હતા. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી કોરોનાના સમયમાં હોસ્પિટલમાં દાખલ થયા હોઈ અનેક અટકણો લગાવાઈ રહી હતી. જોકે હોસ્પિટલના ચેરમેને તમામ શંકાનું સમાધાન કરી આપતા ચર્ચાએ વિરામ લીધો હતો.