એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીના હારને ભૂલાવીને પાર્ટીને ફરી એકવાર નવી દિશા આપવામાં જોતરાયા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, રાહુલે એવા રાજ્યોના નેતાઓ સાથે બેઠક યોજવા જઇ રહ્યા છે જ્યાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. આ બેઠકો આ અઠવાડિયામાં કરવામાં આવશે. રાહુલ ગાંધીના આ નિર્ણયથી લોકોની આશા વધી છે કે જેઓ તેમને પાર્ટીના અધ્યક્ષ બન્યા રહેવા માટે અપીલ કરી રહ્યા હતા.
પરાજય બાદ લાંબો સમય સુધી રાહુલ ન મળ્યા કોઇ નેતાને
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ પદ પર રહેશે કે નહીં તે તો આગામી સમયમાં યોજાનારી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવશે, હાલ તો રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડીખમ છે કે, તેઓ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવા માગે છે. આ જાહેરાત લોકસભાની ચૂંટણીમાં મળેલ કારમા પરાજય બાદ તેમણે કહી હતી. જો કે, ત્યારબાદ તેઓ કેટલાય સમયગાળા સુધી તુગલક રોડ સ્થિત આવાસમાં બંધ રહ્યા હતા અને કોઇપણ નેતાને મળવાનો નનૈયો ભણતા હતા.
27 જૂને યોજશે વિવિધ નેતાઓ સાથે બેઠક
ત્યારે તાજેતરમાં મળેલ જાણકારી મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 27 જૂનના રોજ મહારાષ્ટ્ર, દિલ્હી તથા હરિયાણાના નેતાઓ સાથે મુલાકાત કરવાના છે. આ બેઠક વિધાનસભા ચૂંટણીને લઇને કરવામાં આવશે. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, રવિવારે જ ઉત્તરપ્રદેશ તથા કર્ણાટકની કેટલીક સમિતિઓને ભંગ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી પ્રભારીઓની રજૂઆત બાદ સમિતિમાં પરિવર્તન લાવવામાં આવશે.