લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ પાર્ટી (Congress) ના અધ્યક્ષ પદને છોડવાની જિદ પર અડગ રહેલા રાહુલ ગાંધી હવે સક્રિય થઇ રહ્યાં હોય તેવું નજરમાં આવી રહ્યું છે. કેન્દ્રીય પાસ નિર્ગમ સચિવાલયના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ 2004થી શરૂ થયેલ પોતાના સંસદીય મુસાફરીમાં હજી સુધી અંગત સચિવ (PS) વગર રહેલા રાહુલ ગાંધીએ પોતાના PA કૌશલ વિદ્યાર્થીને PS બનાવવા માટે અરજી આપી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ બુધવારે કેન્દ્રીય પાસ નિર્ગમ સચિવાલયની ઓફિસમાં પહોંચી વિદ્યાર્થીને પોતાના PS બનાવવા અરજી આપી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અત્યાર સુધી કોઇને પણ પોતાના PS તરીકે નિયુકત કર્યા નહોતા. તેઓ જયારે જરૂર પડતી ત્યારે પોતાના માતા સોનિયા ગાંધીના PS રાજબીર સિંહની સહાય લેતા હતા.
કૌશલ અને રાજબીર સાથે-સાથે
રાહુલ ગાંધીને સાંસદ બન્યા બાદ ક્યારેય પણ આ રીતે નિર્ગમ સચિવાલય જતા જોવામાં આવ્યાં નથી. તેમના અચાનક સચિવાલની મુલાકાત તેમજ તેમની સાથે ગાડીમાં બીજા અન્ય બે લોકોને જોવામાં આવતાં ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે રાહુલ ગાંધી અહીં કેમ આવ્યાં. તેમની ગાડીમાં કૌશલ વિદ્યાર્થી અને રાજબીર સિંહ હતા.
વિદ્યાર્થીના 'કૌશલ'ની સંસદમાં થશે અગ્નિ પરીક્ષા
સંસદમાં કૌશલ હવે સત્તાવાર રીતે સાંસદ રાહુલ ગાંધીની PSની ભૂમિકામાં જોવા મળશે. કૌશલ પહેલાથી જ રાહુલ ગાંધીના PAની ભૂમિકામાં રહ્યાં છે. રાહુલ ગાંધીની ઓફિસમાં કૌશલને ઓછુ બોલનાર, મૃદુભાષી, સૌથી વધારે વ્યાવહારિક અને વસ્તુને ઝડપથી સમજદાર માનવામાં આવે છે. સાદગીથી રહેનાર કૌશલ ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ભણતર પુરી કરીને ભારત પરત ફર્યા બાદ રાહુલ ગાંધી સાથે જોડાયલ છે.