નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી બે દિવસ માટે દુબઈની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીએ ત્યાં વસવાટ કરતા ભારતીય કારીગરોને સંબોધ્યા હતા. જેમાં તેમણે મોદી પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યુ હતુ કે હું મારા મનની વાત કહેવા નથી આવ્યો પરંતુ તમારા મનની વાત સાંભળવા આવ્યો છે. તેમજ તેમણે પોતાની પાર્ટી જો સત્તામાં આવશે તો આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની બાંહેધરી આપી હતી.
તેમણે કહ્યું કે વર્ષ 2019 સહિષ્ણુતાનું વર્ષ છે પરંતુ છેલ્લા સાડા ચાર વર્ષથી ભારતમાં અસહિષ્ણુતા ચાલી રહી છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષે શુક્રવારે જ દુબઇમાં લેબર કોલોનીમાં એકત્રિત ભારતીયો કામદારોને સંબોધતા કહ્યું કે જો તેમની પાર્ટી આગામી ચૂંટણીમાં સત્તામાં આવે છે તો તે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે.
મહત્વનું છે કે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઈંડો-આરબ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં રાહુલ ગાંધીને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યુ છે.