દિલ્હી: કેરલથી કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નારાજ થયા છે. કોંગ્રેસની કાર્યકારી બેઠકમાં નેતાઓને સંબોધીત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું લાંબી લડાઈ લડી રહ્યો છું.
દરેકને પોતાની વાત કરવા માટેનો અધિકાર છે પરંતુ પાર્ટના ફોરમમાં પોતાની વાત કરવી જોઈએ. ખોટી નિવેદનબાજી આપણી લડાઈને કરજોર કરી દે છે. જેથી આવા લોકો સામે કાર્યવાહી કરવામાં મને સંકોચ નહી થાય. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી શશી થરૂરના હિન્દુ પાકિસ્તાનવાળા નિવેદનથી નારાજ છે. જોકે આ મુદ્દે શીશી થરૂરને પુછવામાં આવતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.
સૂત્રો પ્રમાણે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે 2019ની ચૂંટણી રણનીતિ માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો. ચિદંબરમે કહ્યું કે 12 રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત છે અને પાર્ટી એમની ક્ષમતામાં 3 ગણો વધારો કરે તો 150 સીટો જીતી શકાય છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં ગઠબંધનની મદદથી કોંગ્રેસ 150થી વધારે સીટો જીતી શકે છે. એક તરફ પી ચિદંબરમે 300 સીટો પર જીતની ફોર્મ્યુલા આપવાનો પ્રયત્ન કર્યો.
I am fighting bigger fights. Everyone has the right to speak in party forum but if a party leader gives a wrong statement and weakens this fight I will not hesitate to take an action: Rahul Gandhi in CWC Meeting (file pic) pic.twitter.com/95iye7Wm1d
આપને જણાવી દઇએ કે લોકસભાની ચૂંટણી દરવાજે આવીને ઉભી છે ત્યારે પક્ષના કેટલાક નેતાઓ જ વિવાદીત નિવેદનો આપીને પક્ષના વિકાસની ગતિને અવરોધી રહ્યા છે. આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શશી થરૂરને આડકતરી રીતે સંબોધીને જણાવેલ કે હું લાંબી લડાઇ લડી રહ્યો છું.
પક્ષના નેતાઓએ કરેલ ખોટી નિવેદનબાજીથી લડાઇ નબળી પડી જશે. જો કે આવા નેતાઓ સામે મને કાર્યવાહી કરવામાં કોઇ જ સંકોચ નહીં થાય તેવી વાતનો ઉલ્લેખ કરીને રાહુલે આક્રમક અંદાજ દેખાડ્યો હતો.