મુંબઇ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મુંબઈમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.પોતાના સંબોધનમાં રાહુલે કહ્યું કે દેશને માત્ર કોંગ્રેસ પાર્ટી બચાવી શકે છે. તેમણે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે PM મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ઇજ્જત નથી કરી કરતા જ્યારે કોંગ્રેસ પૂ્ર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને વધારે સન્માન આપે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસે ખેડૂતોના 70 હજાર કરોડ માફ કર્યા જ્યારે આ સરકારના સમયમાં નીરવ મોદી 12 હજાર કરોડ લઈને ભાગી જાઈ છે.
રાહુલે કહ્યું અમે વાજયેપીની વિરુદ્ધ લડ્યા પરંતુ વાજયેપીએ હિન્દુસ્તાન માટે કામ કર્યું. તેઓ દેશના પીએમ રહ્યાં છે. અમે તેમના પદનો આદર કરીએ છીએ. જો વાજયેપીજી બીમાર છે તો અમે તેમની સાથે ઉભા રહીશું. આ અમારો ઈતિહાસ છે. રાહુલે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું જ્યાં પણ ભાજપના લોકો આગ લગાડે છે. ત્યાં તમારું કામ પાણી છાંટવાનું છે. ભાજપ અને RSS એક પછી એક જુઠ્ઠુ બોલે છે.
LK Advani has been the guru of PM Modi but I have seen in events that PM Modi does not even respect his guru. Today I feel very sad for Advani ji. The Congress party has given him more respect than Modi Ji: Congress President Rahul Gandhi in Mumbai #Maharashtrapic.twitter.com/xJoGAuDq3F
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને એક વાત ખરાબ લાગે છે. જોકે મારે એ કહેવું ના જોઈએ. પરંતુ 2004 2009માં અમે તેમની વિરૂદ્ધ ચૂંટણી લડ્યાં કોંગ્રેસે તેમને હરાવ્યા. હું સંસદમાં આયોજીત અનેક કાર્યક્રમોમાં પણ શામેલ થઈ ચુક્યો છું. ત્યાં અડવાણીને જોઈ મને ખુબ દુ:ખ થાય છે.
We had contested against Vajpayee ji but when he is ill now I went to meet him on priority because I am a soldier of Congress. Vajpayee Ji had worked for our country and we respect him as he was the Prime Minister. This is our culture: Congress President Rahul Gandhi in Mumbai pic.twitter.com/GKxfrRa64K
આપને જણાવી દઇએ કે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજનેતા અટલ બિહારી બાજપાઇને ગતરોજ નાદુરસ્ત તબિયતને કારણે દિલ્હી સ્થિત એઇમ્સમાં દાખલ કરવામાં આવતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સૌ પ્રથમ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. ત્યારબાદ ભાજપના નેતાઓએ વાજપાઈની ખબર પૂછી હતી. ત્યારે આજરોજ મુંબઇ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં વડાપ્રધાન અને ભાજપને આડેહાથ લીધા હતા.