નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન રાફેલ ડીલ પર સરકાર વિરૂદ્ધ આરોપ લગાવવામાં આવ્યા. જેને લઈને ભાજપે તેમની વિરૂદ્ધ વિશેષાધિકારના હનનનો એક પ્રસ્તાવ રજૂ કર્યો.
ભાજપના સાંસદ પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ચર્ચા દરમિયાન તેઓએ રાફેલ ડીલ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે સંયુક્ત પ્રગતિશીલ ગંઠબંધનના કાર્યકાળમાં પ્રતિ વિમાનની કિંમત રૂ. 520 કરોડ હતી.
પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ ગયા તો કેટલીક જાદુઈ શક્તિના કારણે પ્રતિ વિમાનની કિંમત રૂ. 1600 કરોડ થઈ ગઈ. પ્રધાનમંત્રીના દબાણના કારણે રક્ષામંત્રી નિર્મલા સીતારમન પણ જૂઠ બોલી રહ્યાં છે.
તો પ્રધાનમંત્રીએ ડોકલામ મુદ્દે ચીનના મુદ્દે સોદો કરીને પોતાની સેના સાથે ગદ્દારી કરી છે. રાહુલ ગાંધીએ કરેલા આ નિવદેનથી રાજકીય મુદ્દો પણ ગરમાયો છે.