કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, 'મોદીજી વારંવાર દાવો કરે છે કે અમે તેમનું અપમાન કર્યું. તેઓ મારા પર અને કોંગ્રેસના અન્ય નેતાઓ પર તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવે છે.'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી પર સાધ્યું નિશાન
PM મોદીના આરોપો પર કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કર્યો પલટવાર
અમને દરરોજ 4 ક્વિટલ ગાળો આપે છે PM મોદીઃ મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ કોંગ્રેસને દરરોજ ચાર ક્વિન્ટલ ગાળો આપે છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના પક્ષના નેતાઓ પર આકરા પ્રહારો કરે છે. મલ્લિકાર્જુન ખડગે વડોદરા જિલ્લાના વાઘોડિયા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત સિંહ ગાયકવાડની તરફેણમાં એક રેલીને સંબોધિત કરતા PM મોદીના આરોપો પર પલટવાર કર્યો હતો. આ પહેલા પીએમ મોદીએ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, 'કોંગ્રેસ નેતાઓમાં મને ગાળો આપવાની હરિફાઈ ચાલી રહી છે, પરંતુ કાદવ જેટલો ફેકશો તેટલું કમળ ખીલશે.'
'ક્યાં સુધી કહેશો કે હું ગરીબ છું?'
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'મોદીજી વારંવાર દાવો કરે છે કે અમે તેમનું અપમાન કર્યું. તેઓ મારા અને કોંગ્રેસના અન્ય નેતાઓ પર તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવે છે.' મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'ક્યારેક-ક્યારેક મોદીજી કહે છે કે તેઓ ગરીબ છે. ક્યાં સુધી તમે આવું કહેતા રહેશો (હું ગરીબ છું)? તમે લગભગ સાડા 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને છેલ્લા આઠ વર્ષથી વડાપ્રધાન છો ત્યારે આ કેવી રીતે શક્ય છે?'' તેમણે કહ્યું કે, જો બે દાયકા સુધી મુખ્યમંત્રી અને વડાપ્રધાન જેવા પદ પર રહેવા છતાં પણ નરેન્દ્ર મોદી ગરીબ જ રહે, તો દલિતો, ગરીબો અને આદિવાસી લોકોની દુર્દશાની કલ્પના કરી શકાય છે.
PM મોદી કોંગ્રેસને આપે છે ચાર ક્વિન્ટલ ગાળો
મલ્લિકાર્જુન ખડગેએ આરોલ લગાવ્યો કે, નરેન્દ્ર મોદી "સહાનુભૂતિ" મેળવવા માટે આવા દાવા કરે છે અને તેમણે ચૂંટણી દરમિયાન વિકાસનો મુદ્દો ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું, 'મોદીજી દાવો કરે છે કે કોંગ્રેસ તેમને દરરોજ બે કિલો ગાળો આપે છે, પરંતુ સત્ય એ છે કે તમે અમને દરરોજ ચાર ક્વિન્ટલ ગાળો આપો છો. ક્યારેક-ક્યારેક તમે મને અથવા સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરો છો. અમે ગાળો આપ્યા વિના તમારુ જમાવાનું પચતું નથી, પરંતુ નાગરિકો માટે અમે ક્યારે કંઈ કહેતા નથી.
જે અમે બનાવ્યું, તેને તમે વેચી રહ્યા છો: ખડગે
તેમણે કહ્યું કે, જો કોંગ્રેસે સાત દાયકા સુધી ભારતમાં લોકશાહી અને બંધારણની રક્ષા ન કરી હોત તો મોદી અને તેમના મિત્રો ક્યારેય વડાપ્રધાન અને મુખ્યમંત્રી ન બની શક્યા હોત. ખડગેએ મોદી અને તેમની સરકાર પર સપંત્તિ વેચવાનો પણ આરોપ લગાવ્યો, જે કોંગ્રેસના શાસન દરમિયાન ઉભી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમે ભૂતકાળમાં જે પણ બનાવ્યું હતું તે બધું મોદીજી વેચી રહ્યા છે, પછી તે બંદર હોય કે એરપોર્ટ. આવી મિલકતો વેચ્યા પછી તેઓ અમને પૂછે છે કે અમે 70 વર્ષમાં શું કર્યું? હું તેમને કહેવા માંગુ છું કે તમે જે પણ વેચી રહ્યા છો, તેને અમે બનાવ્યું છે.