કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ફરી વાર રાજ્યસભામાં મોદી સરકાર પર એવી ટીપ્પણી કરી કે સત્તા સહિત વિપક્ષના સભ્યો હસી પડ્યાં હતા.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ રાજ્યસભાને ફરી હસાવ્યું
મામલો હતો ઓસ્કારમાં ભારતને બે એવોર્ડ મળવાનો
ખડગે બોલ્યાં, આશા રાખીએ કે મોદી સરકાર ઓસ્કારનો શ્રેય નહીં લેય
ખડગેની આ વાત પર પિષુય ગોયલ, એસ જયશંકર સહિતના ખડખડાટ હસ્યાં
તાજેતરમાં ઓસ્કારમાં ભારતને બે એવોર્ડ મળવાનો પડઘો સંસદમાં જોવા મળ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' ઉપરાંત એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના ગીત 'નટુ-નટુ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.
Oscar winning 'RRR' and The Elephant Whisperes' are India's contributions to the world.
We request Modi ji not to take the credit for their win.
શું બોલ્યાં ખડગે
ત્યારબાદ વિપક્ષી નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેના પર ચર્ચા દરમિયાન ભારતીય ફિલ્મ ઉદ્યોગની પ્રશંસા કરી હતી. તેમણે નાટુ નાટુ ગીતનો ઉલ્લેખ કરતાં પીએમ મોદી પર પણ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, "આશા છે કે, મોદી સરકાર ઓસ્કાર એવોર્ડનો શ્રેય નહીં લે. તેમણે કહ્યું કે મારી વિનંતી છે કે શાસક પક્ષ એ હકીકતનો શ્રેય ન લે કે અમે તેને નિર્દેશિત કર્યું છે અને અમે તે લખ્યું છે. ખડગેના આ નિવેદનથી સદનમાં હાસ્યનું જબરુ મોજું ફેલાયું હતું અને બધા રાજકીય વેરઝેર ભૂલીને ખડગેની વાત પર મન મૂકીને હસવા લાગ્યાં હતા. ખુદ ખડગે પણ હસવા લાગ્યાં હતા. સત્તાધારી પક્ષમાં બેઠેલા મંત્રી પીયૂષ ગોયલ અને એસ જયશંકર પણ હસવા લાગ્યા હતા. ખડગેની બાજુમાં બેઠેલા ડેપ્યુટી ચેરમેન હરિવંશ પણ હસતા જોવા મળ્યા હતા.
ખડગેએ પીએમ મોદીને પણ હસાવી દીધા હતા
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યસભામાં જ્યારે પીએમ મોદી હાજર હતા ત્યારે ખડગેએ એક નિવેદન આપીને પીએમને હસાવી દીધાં હતા. તે વખતે પણ ગૃહમાં ખડગેના નિવેદન પર હાસ્યની છોળો ઉડી હતી.
જગદીપ ધનખડે ટાંક્યો પોતાનો કિસ્સો
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે પણ ભારતીય ફિલ્મોને ઓસ્કાર જીતવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. 71 વર્ષના ધનખડેએ કહ્યું કે જો તેઓ વકીલ ન બન્યા હોત તો તેમણે ફિલ્મોમાં જરૂરથી કામ કર્યું હોત. સપા સાંસદ જયા બચ્ચન અને સોનલ માનસિંહ પણ સદનમાં બોલ્યા હતા. ઉલ્લેખીય છે કે ફિલ્મ આરઆરઆરના લેખક કે.વિજયેન્દ્ર કુમાર રાજ્યસભાના સાંસદ પણ છે.