અમદાવાદઃ ભારત બંધના એલાન મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. અમિત ચાવડાએ કહ્યું કે સરકાર પોલીસને આગળ કરીને દમન કરી રહી છે. પોલીસે બંધને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત બંધમાં રાજ્યભરમાં હજારો કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે.
બીજી તરફ ચાવડાએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં લોકોએ કોંગ્રેસના બંધને સમર્થન આપ્યું છે. આગામી સમયમાં મોંઘવારી મુદ્દે અમારી લડત ચાલુ રહેશે. જ્યારે રાજીવ સાતવે જણાવ્યું કે બંધમાં મહિલા કાર્યકર્તાઓ સામે ગેરવર્તૂણકના બનાવો સામે આવ્યા છે.
મહત્વનું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં બંધનું એલાન આપ્યું છે. અનેક શહેરોમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ બંધ કરાવવા પણ નીકળ્યા હતા.