સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રીય થયા છે. ત્યારે આજથી કોંગ્રેસે પણ અભિયાન શરૂ કર્યું છે. આજથી કોંગ્રેસ દ્વારા મહા જનસંપર્ક અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત સુરતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન
કોંગ્રેસી સાથે બહારના લોકોને પણ ટીકીટ અપાશેઃ અમિત ચાવડા
ભાજપ મળતીયાઓને જમીન ફાળવી દેશેઃ અમિત ચાવડા
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તો બીજા બાજુ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ચૂંટણીને લઇને તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું સુરતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે માત્ર કોંગ્રેસી કાર્યકરો જ નહીં, બહારના લોકોને પણ ટીકીટ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસ યુવકો અને મહિલાઓને ટીકીટ ફાળવણીમાં પ્રમુખ્તા આપશે. આ સાથે તેમણે પડી રહેલી જમીન અંગે અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતાં. તેમજ જણાવ્યુ હતું કે ભાજપ પોતાના મળતીયાઓને જમીન ફાળવી દેશે. ઉદ્યોગપતિઓને જમીન ફાળવી દેવા માટે આ જાહેરાત છે. જેમાં સામાન્ય માણસને કોઈ લાભ થાય તેવી જાહેરાત નથી.
ભાજપે વિલંબ કરીને નુકસાન વધાર્યું છેઃ કોંગ્રેસે
આ અગાઉ પણ હોર્ટીકલ્ચર નીતિની મુખ્યમંત્રીની જાહેરાત પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે, ગુજરાતમાં 14 લાખ 30 હજાર હેક્ટર જમીન ક્ષારયુક્ત છે. ગુજરાતમાં ક્ષારયુક્ત જમીનમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકારની આ નીતિ ખૂબ વિલંબ બાદ જાહેર કરાઈ છે.
વધુમાં કોંગ્રેસે કહ્યું હતું કે, ભાજપ સરકારે ખારી જમીન અટકાવવામાં વિલંબ કરીને નુકસાન વધાર્યું છે. રાજ્ય સરકારે રાજકીય દ્રષ્ટિકોણથી ડાર્ક ઝોન મુક્યા અને હટાવ્યા છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ખારી જમીનમાં વધારો થયો છે. ખારી જમીનનો વિસ્તાર વધવાથી ખેતીને દર વર્ષે 10 હજાર કરોડનું નુકસાન થઇ રહ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી જાહેરાત?
બાગાયતી-ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપવાનો હેતુ
ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં સરકારનું વધુ એક પગલુ
30 વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે
ભાડાપટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ-ભાડું નહીં લેવાય
રાજ્યમાં અંદાજે 50 હજાર એકર બિન ખેડવાણવાળી જમીન ખેડવાણયુકત બનશે
બાગાયતી-ઔષધિય પાક ઉત્પાદનમાં વધારો થશે
પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી I ખેડૂત પોર્ટલ પર મુકાશે
લીઝધારકોને આધુનિક ટેકનોલોજીયુક્ત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ સહાય મળશે
કૃષિ-બાગાયતી પાકોના ઉત્પાદન-આવક વધારી રોજગારીની નવી તકો ઉભી થશે
એકસપોર્ટ ઓરિએન્ટેડ અને પ્રોસેસિંગ કલસ્ટર ઉભા કરી કાપણી પછીની વ્યવસ્થા-વેલ્યુચેઇન-પ્રોસેસિંગ ઊદ્યોગો વિકસાવાશે
લીઝ માટેની અરજીઓની સ્કૂટીની-ચકાસણી રાજ્યકક્ષાની ટેકનિકલ કમિટી કરશે
પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં શરૂ કરાશે
જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ અપાશે
6 વર્ષથી ૩૦ વર્ષ સુધી પ્રતિએકર પ્રતિવર્ષ 1૦૦થી 5૦૦નું ભાડુ લેવાશે
કૃષિવિષયક વીજજોડાણમાં પ્રાયોરિટી મળશે
લીઝ ધારક પોતાના સ્વવપરાશ માટે જ સોલાર પેનલ-વીન્ડ મિલ લગાવી ઊર્જા ઉત્પાદન કરી શકશે પણ વેચી શકશે નહીં
લીઝ મુદત પૂરી થતા પહેલા જમીન પરત કરવાના કિસ્સામાં સરકાર દ્વારા કોઇ જ વળતર મળવાપાત્ર નહીં