દિલ્હી: RSSના સરસંઘચાલક મોહન ભાગવતે કોંગ્રેસના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે દેશની આઝાદીમાં કોંગ્રેસનો મોટો ફાળો રહેલો છે. કોંગ્રેસના આંદોલનના કારણે લોકો આઝાદી માટે પ્રેરાયા અને અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે લોકો રસ્તા પર આવ્યા હતા.
આ સાથે જ ભાગવતે કહ્યું કે કોંગ્રેસના ઘણા મહાનુભાવો આજે પણ પ્રેરણારૂપ છે. દિલ્હીમાં RSSનો ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં મોહન ભાગવતે આ નિવેદન આપ્યું.
Delhi: Actors Manisha Koirala Ravi Kishen Annu Kapoor and others at RSS's 'Bhavishya ka Bharat' lecture series pic.twitter.com/54M4aGLwMp
આ કાર્યક્રમમાં દેશ વિદેશના મહેમાનોને બોલાવવામાં આવ્યા છે. દેશના અનેક રાજકીય પક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં નથી આવ્યું. જો કે પહેલા RSSના પ્રવક્તાએ જ ઇશારો કર્યો હતો કે રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવશે.
સંઘને લોકો સમજી શકતા નથી
આપને જણાવી દઇએ કે ભાગવતે કહ્યું કે અમે તીરંગાનું સન્માન કરીએ છીએ. ભારત હિન્દુ રાષ્ટ્ર હતું છે અને રહેશે. આપણે આપણા રાષ્ટ્ર માટે જ જીવન વ્યતીત કરવું જોઇએ. હિન્દુત્વ આપણા સમાજને એક સાથે જોડી રાખે છે.
સંઘ સુપ્રીમો પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સંઘને લોકો સમજી શકતા નથી કારણ કે સંઘ અનોખો છે. અમને એ વાતથી કોઇ જ ફરક પડતો નથી કે સત્તામાં કોણ છે. અમે બસ અમારું કામ કર્યા કરીએ છીએ.
આપણે સાચા હઇશું તો લોકો સહમત થશે જ
સંઘના સુપ્રીમો મોહન ભાગવતે વધુમાં કહ્યું કે સંઘ સૌથી મોટું લોકતાંત્રિક સંગઠન છે. જ્યાં લોકતંત્રનું પાલન કરવામાં આવે છે. સંઘની કાર્ય પધ્ધતિ અલગ છે.
ભારતના ભવિષ્ય કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે અમારી સાથે સહમતિ બાંધવા અમે કોઇને જબરદસ્તી નથી કરી રહ્યા. અમારા સાચા કામને કારણે લોકો ખુદ સહમત થાય છે.