રાજકોટ લોકસભા બેઠક જીતવા કોંગ્રેસે ખાસ વ્યૂહરચના ઘડી લીધી છે. રાજકોટ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં રાહ જોવાની યોજના છે. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે. રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદાર મુદ્દે મહત્વના સમીકરણ છે.
જે મુજબ જો ભાજપ મોહન કુંડારિયાને રિપિટ કરે તો કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપશે. મોહન કુંડારિયા કડવા પાટીદાર છે. જેની સામે કોંગ્રેસ લેઉવા પટેલ હિતેશ વોરાને કુંડારિયા સામે ઉતારશે.
જો ભાજપ ધનસુખ ભંડેરીને ટિકિટ આપે તો કોંગ્રેસ લલિત કગથરાને ઉતારશે. ધનસુખ ભંડેરી લેઉવા પટેલ સમાજના આગેવાન છે જ્યારે લલિત કગથરાને કડવા પાટીદાર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 18 લાખ મતદારો છે. જેમાં લેઉવા પટેલના 2.75 લાખથી વધુ મતદારો અને કડવા પટેલના 1.75 લાખથી વધુ મતદારો છે.