કોંગ્રેસે કોરોનાવાયરસના મુદ્દે ભાજપ સરકારને ઘેરી લેવાની નવી રણનીતિ તૈયાર કરી છે. આજથી કોંગ્રેસ ‘સ્પીક અપ ઈન્ડિયા’ (#JoinSpeakUpIndia) કેમ્પેઈન શરૂ કરી રહી છે. આ અભિયાનમાં કોંગ્રેસના 50 લાખથી વધુ કાર્યકરો અને સમર્થકો ભાગ લેશે. આ અંતર્ગત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોનો અવાજ ઉઠાવવામાં આવશે.
મોદીની વિરુદ્ધ સ્પીક અપ ઈન્ડિયા કેમ્પેઈન
50 લાખ લોકો જોડાશે આ કેમ્પેઈનમાં
આ મુદ્દાઓ પર વિપક્ષ કરશે વાત
કોંગ્રેસની માંગ શું છે?
આ અભિયાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા ચાર મુખ્ય માંગણીઓ મુકવામાં આવી છે. આ છે - સ્થળાંતર કરી રહેલા નાગરિકોને સલામત અને મફત ઘરે પહોંચાડવામાં આવે, દરેક ગરીબ લોકોને દસ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય આપવી જોઈએ, એમએસએમઈઓને આર્થિક લોન નહી, આર્થિક મદદ આપવામાં આવે. ઉપરાંત મનરેગા હેઠળ મજૂરોને ઓછામાં ઓછા 200 દિવસની મુદત આપવામાં આવે.
Speak Up India अभियान के साथ जुड़कर अपनी आवाज को भाजपा सरकार तक पहुँचाइए।
Speak Up India बनेगा हर देशवासी की आवाज, अपने अधिकारों की मांग को सरकार तक पहुंचाने का होगा आगाज। pic.twitter.com/EcajZkszNV
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે બુધવારે કહ્યું હતું કે પાર્ટી 28 મેના રોજ દેશભરમાં ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર ગરીબોનો અવાજ ઉઠાવશે અને કેન્દ્ર સરકાર તેમના ખાતામાં 10,000 રૂપિયા ઉમેરવા માટે દબાણ કરશે. તેમણે કહ્યું કે લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે અને આ સંજોગો છે કે તમામ પ્રયાસો છતાં દેશના સૌથી ગરીબ વર્ગ સુધી આર્થિક મદદ પહોંચી શકી નથી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મોટી જાહેરાતો કરી રહી છે. પેકેજની જાહેરાત કરી રહી છે. પરંતુ પૈસા ગરીબોના હાથ સુધી પહોંચ્યા નથી.
Dr. @ShashiTharoor urges everyone to #JoinSpeakUpIndia campaign, 11AM onwards tomorrow, to highlight the plight of the poor, migrant workers & small businesses who have been ignored by the Govt. We must demand immediate relief for them to ease their sufferings. pic.twitter.com/N9LsnoYFnj
તેમણે મોદી સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂરા થવા અંગેના સૂચિત કાર્યક્રમોની પણ સમીક્ષા કરી હતી. પાયલોટે કહ્યું, 'કેન્દ્ર સરકાર વિવિધ કાર્યક્રમો કરી રહી છે. ઓનલાઇન રેલીઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. પરંતુ આ સમય છે પારદર્શિતા, સહાનુભૂતિ, કરુણા દર્શાવવા અને બધાને સાથે રાખવાનો. આજે તમારી પીઠ થાબડવાનો સમય નથી. છતાં ઉજવણી કરવામાં આવી રહી છે અને સિદ્ધિઓ ગણાવાઈ રહી છે. '