કોંગ્રેસ સંગઠનમાં 'એક વ્યક્તિ-એક પદ'ના સિદ્ધાંતને લાગૂ કરવા માટે અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી રણનીતિકારો સાથે ચર્ચા કરી રહ્યા છે. આ મામલે સોનિયા ગાંધી જલ્દી નિર્ણય લઇ શકે છે. હાલ પાર્ટીમાં 6 મોટા નેતા બે પદો પર છે. સૂત્રોનું કહેવું છે કે સોનિયા આ નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેશે.
ખુદ સોનિયા અંતરિમ કોંગ્રેસ અધ્યક્ષ અને સંસદમાં પાર્ટીના સંસદીય દળના નેતા છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે એમણે સંગઠનની લીડર છે અને સંસદીય દળના નેતા તરીકે સંસદમાં પાર્ટીના વડા. એવામાં તેને એક વ્યક્તિ-એક પદ હેઠળ લાવી શકાશે નહીં કેમકે, તે પાર્ટીમાં સુપ્રિમો તરીકે કામ કરી રહી છે.
કોંગ્રેસના મહત્વપૂર્ણ પદે મોટા નેતા
1 ગુલામ નબી આઝાદ, રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ, રાષ્ટ્રીય મહાસચિવ, પ્રભારી-હરિયાણા
2 સચિન પાયલટ, ઉપમુખ્યમંત્રી, રાજસ્થાન અને પ્રદેશ અધ્યક્ષ
3 નાના પટોલે, અધ્યક્ષ, કિસાન મજદૂર કોંગ્રેસ અને ચેરમેન, કેમ્પેન કમિટી (મહારાષ્ટ્ર)
5 ઉમંગ સિંગાર, કેબિનેટ મંત્રી, મધ્ય પ્રદેશ સરકાર અને પ્રભારી સચિવ
6 કમલનાથ, મુખ્યમંત્રી, મધ્ય પ્રદેશ અને પ્રદેશ અધ્યક્ષ
અંતરિમ અધ્યક્ષ બનતાની સાથે જ સોનિયા ગાંધી એક્શન મોડમાં છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં જ્યારે નેતાઓએ બેઠકની વચ્ચે સમાચાર બહાર લીક થવાની વાત કહી ત્યારે એમણે બેઠક દરમિયાન મોબાઇલ લાવવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હતો.
હાલ સોનિયા ગાંધી સામે સૌથી મોટો પડકાર શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હીના નવા અધ્યક્ષની નિયુક્તિ છે. આ ઉપરાંત ઝારખંડ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં સંગઠનને મજબુત કરવાની પણ જવાબદારી છે.