પેટા ચૂંટણી મુદ્દે કુંવરજી બાવળીયાએ નિવેદન આપ્યું છે. કુંવરજી બાવળીયાએ જણાવ્યુ હતું કે સ્નેહ મિલનનો મોટો કાર્યક્રમ કરી છે. કોંગ્રેસના મિત્રો ખોટો પ્રચાર કરી રહ્યા છે.
બધા સમાજના લોકો મને સ્વીકારી રહ્યા છે. આ વિસ્તારમાં કોંગ્રેસની અસર થવાની નથી. તો આ તરફ ભાજપના સ્નેહમિલન મુદ્દે ભરત બોઘરાએ પણ નિવેદન આપ્યું હતું.
ભરત બોઘરાએ જણાવ્યું હતું કે 20 હજાર લોકો સ્નેહમિલનમાં હાજર રહેશે. કોંગ્રેસના ઘણા સભ્યો ભાજપમાં જોડાશે. કુંવરજીને ભાજપવાળા હરાવશે તે વાત કોંગ્રેસની ખોટી છે.