કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક પછી એક જીતી હતી પરંતુ ઘણી નગરપાલિકા અને જિલ્લા પંચાયત તેના હાથમાંથી સરી ગઈ છે. હવે જ્યારે ગુજરાતમાં છ બેઠકો ઉપર પેટાચૂંટણી થઈ રહી છે ત્યારે કોંગ્રેસે ચુંટણી પંચે આપેલી લીમીટ કરતા પણ અડધુ જ ફંડ આપતા ચર્ચા જાગી છે કે, શું કોંગ્રેસ પાસે ફંડ નથી?
ગુજરાત વિધાનસભાની પેટાચુંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારોને ચુંટણી પ્રચાર માટે ખાલી 15-15 લાખનું જ ફંડ ફાળવાતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસોની જ વાર છે. ત્યારે કોંગ્રેસે ઉમેદવારોને 15-15 લાખ રૂપિયા ચૂંટણી પ્રચાર માટે આપ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસે ઉમેદવારોના ખાતામાં પ્રચાર માટે 15-15 લાખ રૂપિયા જમા કરવ્યા છે. જે ફંડ પ્રચાર માટે ખૂબ ઓછું છે. જેને લઈને ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કારણ કે, ગત વિધાનસભા ચૂંટણીમાં 25 લાખની આસપાસ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે ફંડ ફાળવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે પણ 28 લાખની મર્યાદા નક્કી કરી છે. જેની તુલનામાં કોંગ્રેસે ફાળવેલું 50 ટકા જેટલું ઓછું છે.
કોંગ્રેસ પાસે ફંડ ખુટી પડ્યુ છે?
કોંગ્રેસ પાસે ફંડ ખુટી પડ્યુ છે કે શું? તેવી ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીને ગર્ભ શ્રીમંત પાર્ટી ગણવામાં આવે છે ચુંટણી ફંડ વખતે એવુ કહેવાતુ કે ભાજપે પોતાના સાંસદો અને ધારસભ્યોને ટાર્ગેટ આપવા પડે છે પણ કોંગ્રેસ પાસે તો પૈસાની ખાણ છે. તો આ ખાણ અચાનક સુકાઈ કેમ ગઈ તેવો પણ ગણગણાટ થઈ રહ્યો છે.
નોટબંધી જવાબદાર હોવાનું પણ કેહવાઈ રહ્યુ છે
નોટબંદીએ કોંગ્રેસના ગોપનીય ફંડના તળિયા ઝાટક કર્યા કે શુ? એવી પણ એક ચર્ચા છે. કે કોંગ્રેસને ચારેબાજુથી ઘેરીને ભાજપે સત્તા મેળવીને તે ટકાવી રાખવાનું નક્કી કર્યુ છે ત્યારે ઉમેદવારોને ઓછુ ફંડ પણ ભાજપની જ નીતિનો ભાગ હોવનાનું માલૂમ પડ્યુ છે.