સેનામાં ભરતી માટે અગ્નિપથ સ્કીમ પર વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે. આ માટેે થઈને કોંગ્રેસ પાર્ટી આ યોજનાને લઈને આજે સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે.
મોદી સરકારે સેનામાં ભરતી માટેના નિયમો બદલ્યા
અગ્નિપથ યોજનાના વિરોધ દેશમાં હોબાળો
કોંગ્રેસ પાર્ટી કરી રહી છે સત્યાગ્રહ આંદોલન
સેનામાં ભરતી માટે અગ્નિપથ સ્કીમ પર વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે. ત્યારે હવે વાયુસેનાએ પણ અગ્નિવીરોની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એરફોર્સે નિમણૂંક માટે તમામ શરતો અને સુવિધાઓ તથા અન્ય જાણકારીઓ વેબસાઈટ પર અપલોડ કરી દીધી છે. આ બાજૂ કોંગ્રેસ પાર્ટી આ યોજનાને લઈને આજે સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે.
देश के युवाओं का भविष्य 'अग्नि' के हवाले करने की भाजपाई साजिश के खिलाफ कांग्रेस सत्याग्रह के 'पथ' पर निकल चुकी है।
આ સત્યાગ્રહમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ જંતર મંતર પર પહોંચ્યા હતા. અહીં પાર્ટી અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ સત્યાગ્રહ આંદોલન ચલાવી રહ્યા છે. સચિન પાયલટ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી, પાર્ટી નેતા ગૌરવ ગોગોઈ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસે કહ્યુ હતું કે, અગ્નિપથ સ્કીમ આપણા સૈન્ય પરંપરાનું અપમાન છે.
भाजपा की आग लगाऊ योजना 'अग्निपथ' के खिलाफ जंतर-मंतर पर आयोजित 'सत्याग्रह' में कांग्रेस महासचिव @priyankagandhi जी।
રાહુલ ગાંધી આ યોજનાને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે, વારંવાર નોકરીના ખોટા વાયદા કરીને પ્રધાનમંત્રી દેશના યુવાનોને બેરોજગારીના અગ્નિપથ પર ચાલવા માટે મજબૂર કર્યા છે. 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ આપવાની હતી, પણ યુવાનોને મળ્યું ફક્ત પકોડા તળવાનું જ્ઞાન. દેશની આ હાલત માટે જવાબદાર ફક્ત પ્રધાનમંત્ર મોદી છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ આ મુદ્દા પર દિલ્હીના જંતર મંતર પર સ્તયાગ્રહ આંદોલન કરી રહ્યા છે.
बार-बार नौकरी की झूठी उम्मीद दे कर, प्रधानमंत्री ने देश के युवाओं को बेरोज़गारी के ‘अग्निपथ’ पर चलने के लिए मजबूर किया है।
8 सालों में, 16 करोड़ नौकरियां देनी थीं मगर युवाओं को मिला सिर्फ़ पकोड़े तलने का ज्ञान।
देश की इस हालत के ज़िम्मेदार केवल प्रधानमंत्री हैं।